SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ટોડ રાજસ્થાન, પ્રસિદ્ધ થઈ પડયું. તૈમુકુળ તીલક બાદશાહ અકબરના રાજ્યશાસનના કાળથી અનેક રાજપુતકુળને અધ:પાત થયે. પણ અંબરનું કુશાવહ કુળ તે સમયે, પિતાનું ગૌરવ અને મોભે સારી રીતે જાળવી રહેલ હતું. અગ્નિકુળ–જગન્માન્ય સૂર્યવંશ અને ચંદ્રવંશ, જેમ સૂર્ય અને ચંદ્રથી ઉત્પન્ન થયેલ છે તેમ અગ્નિકુળ પણ આઝિથકી ઉત્પન્ન થયું છે. હીંદુ કુલાચાર્ય ના મતમાં, તે વંશતરૂની ચાર શાખા છે. પ્રથમ પરમાર, દ્વિતીય-પૂરીહર-તૃતીય ચિાલુક્ય વંશ વા સોલંકી ચતુર્થ-હાણ. એમ કહેવાય છે કે જ્યારે ધર્મવાર પાર્શ્વનાથે અવતરી, સમગ્ર સમાજમાં ધર્મનું મેટું આંદોલન કર્યું. તે સમયે અગ્નિકુળની ઉપત્તિ થઈ હતી. ધર્મના તે ભીષણ સંઘર્ષણકાળે પરાકમશાળી લોકોના આક્રમણથી પિતાના ધર્મના રક્ષણ માટે બ્રાહ્મણએ તે અગ્નિવીરની સૃષ્ટિ કરી છે - રાજસ્થાનમાં અબુંદ વા આબુ નામે એક પર્વત છે. તે પર્વતની ઉચી ટોચે એ ભીષણ ધર્મ વિપ્લવનું પ્રધાન રંગ સ્થળ છે. એમ કહેવાય છે જે તે ઉચી ટેચ ઉપર બ્રાહ્મણોએ અગ્નિ કુંડ સળગાવ્યા તેમાંથી વીર અગ્નિની સૃષ્ટિ કરી છે. જે સ્થળે તે પવિત્ર અગ્નિકુંડ સળગાવ્યા હતા તે સ્થળ હાલ પણ જોવામાં આવે છે. બ્રાહ્મણોના અભુત તપિ બળે પાપનાશન અગ્નિ થકી જે વીરકુળ ઉત્પન્ન થયું છે તે વરકુળે, અનેક વર્ષો સુધી પિતાને પ્રચંડ પ્રભાવ અને અલ્ય ધર્મનુરાગ અટલ અને અચળ રીતે રાખ્યું હતું, પણ મુસલમાનના ભારત વર્ષમાં આવવા ઉપર અગ્નિકુળને ઘણે ખરે ભાગ બ્રાહ્મણુ ધર્મને ત્યાગ કરી તે ધર્મમાં અને દ્ધ ધર્મના અનુયાયીઓ બન્યા હતા. ૧ પરસ્પર ધસારે. ૨ બળવે. * ટેડ સાહેબના મતમાં ચાર બુદ્ધનું અસ્તિત્વ સપ્રમાણ કહી શકાય છે. તેણે કહેલ છે તે ચાર આશામી, એકેશ્વરવાદી હતા. મધ્ય એશિયામાંથી બે ધર્મને તેઓએ આ અને તેને ભારતવર્ષમાં પ્રચાર કર્યો. તેઓના ધર્મશાસ્ત્ર એક ખીલાના માથાના આકાર જેવી લીપીમાં લખાયેલ હતા. સૌરાષ્ટ્ર જેશલમીર વગેરે રાજસ્થાનમાં જ્યાં જ્યાં બિદ્ધ અને જનને વાસ હતું, ત્યાં ત્યાં ટોડ સાહેબે ફરી અનેક શીલાલેખો શોધી કાઢેલ છે તે ચાર બુદ્ધ નીચે પ્રમાણે છે. પ્રથમ બુદ્ધ ( ચંદ્રવંશ પ્રતિકાતા ) અનુમાન બ્રી પૂ. ૨૫૫૦ વર્ષ ઉપર અવતરેલ છે. દ્વિતીય બુદ્ધ નેમિનાથ (જન મતમાં બાવીસમા તીર્થંકર ) ,, ૧૧૨૦ , વતીય પાર્શ્વનાથ ( , વીશમાં , ) , ૧૫૦ , . ચતુર્થ મહાવીર છે , વીશમા , ) , ૫૩૩ , , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy