SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલ દૂર કરતાં ઘણી વાર સારૂં ન થતું ત્યારે પિતાનાં મનથી કપેલું ઔષધ વાપરતા અને સારા થઈ જતા! આજે શ્રદ્ધાને ચમત્કાર કહે કે તપને પ્રભાવ કહે પણ તેઓ આ રીતે કટીમાંથી પાર ઉતરતા અને વધારે જ્વલંત શ્રદ્ધા સાથે આગળની એળીઓમાં પ્રવેશ કરતા. આ રીતે તેઓ શ્રી વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી સં ૨૦૧૩ ના આસો સુદિ ૧૫ ને રોજ પૂર્ણ કરે છે અને જૈન શાસનનાં સેનેરી પૃદ્ધે પર એમણે પિતાનું નામ સદા માટે અંકિત કર્યું છે. તેમજ વધારે ખુશીની વાત તો એ છે કે તેમને પુત્ર ચક્રવર્તી કોલેજની સંપૂર્ણ કેળવણી પામેલ હોવા છતાં પિતાનાં પુનિત પગલે પ્રયાણ કરી શ્રી વર્ધમાન આયંબિલ તપને આરાધક બની ૩૦મી ઓળી પૂર્ણ કરી ચૂક્યા છે. આ પ્રભાવક તપસ્વી શ્રી દતુભાઈની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે. આશા છે કે અન્ય મહાનુભાવે તેમના પગલે ચાલી તપને મહિમા વિસ્તારશે અને એ રીતે જગતની જનતાને તરી જવાને માર્ગ વધારે સરળ સુંદર, ને વધારે ઉજજવળ બનાવશે. जैन जयति शासनम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy