SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ગુજરાતના એક નવલહિયા સંશોધક ભાઈશ્રી પાર્શ્વને હાથે કુંવરદાસ–સુંદરદાસ” અને “કુરપાલ–સોનપાલ” નામના બે ભાઈઓના વિષયમાં અત્યાર સુધીમાં હાથ લાગેલાં સાધનની એક નાની પુસ્તિકા અહીં રજૂ થાય છે. આ નાની પુસ્તિકાને લેખકે ૧. “કુંવરદાસ અને સુંદરદાસઃ રાજકીય તવારીખમાં” (પૃ. ૧૭થી); ૨. “કુરપાલ અને સોનપાલઃ જૈન સાહિત્યમાં” (પૃ. ૩૭ થી ); ૩. “કુરપાલ અને સેનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા? ( પૃ પર થી ૬૪) એવાં ત્રણ શીર્ષકો નીચે વિભક્ત કરી પ્રથમના પ્રકરણમાં “જહાંગીરનામાને કેન્દ્રમાં રાખી બીજાં સાધનોની મદદથી અકબરના સમયથી લઈ શાહજહાંના બળવા સુધીમાં કુંવરદાસ અને સુંદરદાસે ઉચ્ચ કક્ષાના યોદ્ધાઓ અને મુત્સદ્દીઓ તરીકે જહાંગીરને ભારતવર્ષમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના મુલકમાં વિજય પ્રાપ્ત કરી સમ્રાટ બનાવવામાં જે તેજસ્વી ભાગ ભજવ્યો હતો તેનું સંક્ષિપ્ત છતાં સપ્રમાણ આલેખન કર્યું છે. એ યુગના ઉચ્ચ કક્ષાના મુગલ સિપાહસાલેહોની હરોળમાં ઊભા રહીને બંને ભાઈઓએ જે બુદ્ધિ અને શક્તિ બતાવી હતી તેનો આમાં ખ્યાલ મળે છે શાહજહાંએ કરેલા બળવાની નિષ્ફળતા સું દરદાસના અવસાનને કારણે થઈ એ સુંદરદાસની વીર યોદ્ધા અને મુત્સદ્દી તરીકેની કારકિર્દીને દીપાવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy