________________
૩૪ ]
કુંવરદાસ અને સુંદદાસ શાહજહાં બ જ ગુમાવી બેઠો હતો. જો કે સફીએ શાહજહાંના પક્ષમાં હોવાનું જાહેર કર્યું હતું અને કુવરદાસ રાજકેષ, કમરપટ્ટો વગેરે લઈને શાહજહાં પાસે જાય તે પહેલાં તેણે મહેમદાવાદને રસ્તો લીધે. અંદરખાનેથી તેણે જહાંગીરને વફાદાર રહેલા સરદારે સાથે ગુફતેગે કરી સૌને એકત્રિત કર્યા.
કુંવરદાસ માં ગયો કે તરત જ તેની ગેરહાજરીનો લાભ લઈને સફીએ અમદાવાદનો કબજે કરી લીધે. જડાઉ સિહાસન, જેની કિંમત પાંચ લાખ રૂપિઆની હતી, તે ઘણું ભારે હાઇને કુવરદાસ લઈ જઈ શકો નહોતો. તેના ટૂકડાઓ કરાવીને તેની સહાયથી સફીએ સેના પણ તૈયાર કરી લીધી. આ સાંભળીને અબ્દુલ્લાખાન છએક હજારની સેના સાથે ઉતાવળો ગુજરાતમાં આવ્યો, પરંતુ નારંજામાં સફી દ્વારા પરાજિત થઈ, સુરતમાંથી ચારેક લાખ રૂપીઆ વસૂલ કરી, શાહજહાં પાસે માં ચાલ્યા ગયે.
સફીએ શાહજહાંના ટેકેદારો વફાદાર, મહમ્મદ તકી વગેરેને પકડી લીધા પરંતુ કુંવરદાસનું શું થયું એ જાણી શકાતું નથી. મિરાત-ઈ-અહમદી'માં કુંવરદાસ સફી સાથેની લડાઈમાં મરા હતો એ ઉલ્લેખ છે અંગ્રેજ વેપારીઓએ તે સમયે આપેલા હેવાલ પ્રમાણે કુંવરદાસ પિતાને સરસામાન મૂકીને ભાગી ગયેલે. તે જહાંગીરના પક્ષે રહે છે અને બચે છે એ પણ મત છે. o “He ordered to be brought before him Kanhardas, brother of Vikramajit who laid down his life in a scuffle with Muhammed Safi Khan Diwan of the Subah...." Mirat-iAhmadi, P. 171. * "English Factories”, Edited by Sir W. Foster, P. 233.
+ રત્નમણિરાવ ભીમરાવ જેટ નેધે છે કે “એ જ લઢાઈમાં જહાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com