________________
રાજકીય તવારીખમાં
[ ૨૯
પથી આગળ વધી રહી છે તે જાણીને જહાંગીર દ્વિધામાં પડી ગયેલે. યુદ્ધ માટે સેના પણ તૈયાર નહોતી. પરંતુ નૂરજહાંએ સમયસૂચકતા દર્શાવીને બિહારથી પર્વેઝને સસૈન્ય આવી જવા આજ્ઞા મોકલાવી મારવાડ, આમેર, કેટા, બુંદી વગેરે સ્થાનોથી રાજાઓ અને રાજપૂત સરદારોને પણ નિમંત્ર્યા. મહાબતખાનને કાબૂલથી તેડાવીને તેને સેનાપતિ નીમ્યો.
શાહી સેનાને તૈયારી માટે સમય મળી જાય તે માટે મૂસવખાનને શાહજહાં પાસે મોકલાવીને વાટાઘાટો ચલાવવાનું તર્કટ રચવામાં આવ્યું. ઉભય પક્ષો વચ્ચે ફતેહપુર સિક્રીમાં લંબાણપૂર્વક ગુફતેગો ચાલી. તે અન્વયે શાહજહાંના દૂત કાઝી અબ્દુલ અઝીઝને જહાંગીર પાસે મેકલાવવામાં આવ્યો. પરંતુ શરતો સાંભળીને જ કાઝીને કારાગાર ભેગો કરી દેવામાં આવ્યો ! એ પછી વાટાઘાટેનાં દ્વાર બિડાઈ ગયાં. આગરાની લૂંટ
ઉભય પક્ષો લડાઈ માટે સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા હેઈને હવે વાતાવરણમાં ગરમી આવી અને લશ્કરી હિલચાલ પણ ત્વરિત બની. શાહજહાં ઠેઠ આગરા પહોંચી ગયો. દુર્ગાધ્યક્ષ એતબારખાને દુર્ગનાં દ્વારે બંધ કરી દીધાં, પરંતુ શાહજહાંની આજ્ઞાથી સુંદરદાસ નગરમાં સસૈન્ય પ્રવેશી શકવા સમર્થ થયો અને તેણે આગરા તૂટી લીધું. શાહીકેષ ઉપરાંત જહાંગીરના આગેવાન અમીરેનાં ઘરમાંથી અઢળક સંપત્તિ હાથ કરવામાં આવી. એકલા લશ્કરખાનના ઘરમાંથી જ નવ લાખ રૂપીઆની સંપત્તિ મળી આવી. જેની જેની પાસે સારી સંપત્તિ હોવાની આશંકા હતી, તે બધાને સુંદરદાસે લૂટ્યા અને જે કાંઈ લઈ શકાય એવું હતું તે બધું લઈ લીધું ૪ x " He sent to Agra his servant Sundar, who was the ring leader of the people of error and Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com