SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય તવારીખમાં [ ર૭ લ, જજરનગર દિલશાહી ને ભૂમિ ત્યાં શાહજહાંની આજ્ઞાથી દુર્ગનો પાયો નાખવામાં આવ્યો અને તેનું જફરનગર નામાભિધાન થયું. ત્યાં થયેલી સંધિ અન્વયે કુતુબશાહી અને આદિલશાહી સુલતાનેએ પચાસ લાખ રૂપીઆ દંડના આપ્યા, તથા મલિક અંબરે જે ભૂમિ અધિકૃત કરેલી તે પુનઃ પાછી સોંપી દીધી. આ પ્રમાણે દક્ષિણને ઉકળતો ચરુ શાંત થયો. કંદહાર ઉપર હુમલો ઈ. સ. ૧૬૨૨ માં દક્ષિણમાં યુદ્ધ ચાલતું હતું ત્યારે જ સમાચાર આવેલા કે ઈરાનના શાહ અબ્બાસે કંદહાર ઉપર હુમલે કર્યો છે. આથી જહાંગીરે શાહજહાંને આજ્ઞા મોકલાવી કે તે સીધે સૈન્ય સહિત કંદહાર જાય. આજ્ઞાનુસાર શાહજહાંએ ત્યાં જવા પ્રયાણ કર્યું. બુરહાનપુરને માર્ગે સુંદરદાસ, જે દક્ષિણની સંધિ પ્રમાણે ધન લઈને પાછો આવી રહ્યો હતો, તે મળે. તેની સાથે વિચારવિમર્શ કર્યા બાદ શાહજહાંને સમજાયું કે કંદહાર જવું એટલે ભારતથી વર્ષો સુધી અળગા રહેવું બરાબર છે વળી જે નિષ્ફળતા મળે તો તેની પ્રતિષ્ઠા પણ ઝંખાય. આ અરસામાં જહાંગીર સતત મદ્યપાન અને વિષય ભેગને કારણે સ્વાથ્ય ગુમાવી બેઠા હોઈને રાજની કુલ લગામ તેની બેગમ નૂરજહાંના હાથમાં ચાલી ગયેલી, જે જહાંગીરના નાના પુત્ર શહરથારની પક્ષકાર હતી. આથી શાહજહાએ કંદહાર જતા પહેલાં કેટલીક શરત મૂકી. પરંતુ તે નામ દૂર થઈ જહાંગીર અને શાહજહાં વચ્ચે આ બાબતમાં સતત પત્રવ્યવહાર ચાલ્યો, પરંતુ કાંઈ વળ્યું નહિ. અંતે જહાંગીરે તેના પિતા વિરુદ્ધ બળવાનો જે રાહ લીધેલે, તેને શાહજહાં પણ અનુસર્યો અને બળવાની ચિનગારી ચાંપી. વિદ્રોહની આધિ - શાહજહાંએ બળવાને પ્રબંધ એવી રીતે કર્યો કે જેથી સામ્રા જ્યમાં સર્વત્ર ઉપદ્રવ મચી જાય રાજા બાસૂના પુત્ર જગતસિંહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy