SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાજૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ भक्तों की इच्छा-मोह ही से जैन धर्म में मूर्ति का प्रवेश हुआ, इसमें जैन धर्म का मौलिक आधार कुच्छ भी नही है. આમાં શ્રી ડેશજીની કહેવાની મતલબ એ છે કે–મોહ હેયત્યાજ્ય છે માટે ઈચ્છા – મોહ એટલે મહી ઈચ્છા પણ થાય છે. અને તેથી, મહી ઈચ્છાથી પ્રવેશેલ પ્રભુની મૂર્તિ પણ ત્યાજ્ય છે, તેને જૈન ધર્મને નૌલિક આધાર નથી. જૈન ધર્મનું સહેજ પણ જ્ઞાન હેય એવો માણસ તે કદીય આવા શબ્દો ઉચ્ચારી શકે જ નહિ. કારણ કે તેમાં પ્રભુનું અને પ્રભુના ઉપદેશેલ ધર્મનું સજડ અપમાન છે અને આ તેમની વાત ધર્મના સંપૂર્ણ અજ્ઞાનની સાક્ષીરૂપ છે. ઈચ્છા–મેહ એટલે શું? મેહ બે પ્રકારને છે–અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્ત મોહ છવને પાપ માર્ગે લઈ જાય છે તે હેય ત્યાજ્ય છે અને પ્રશસ્ત મોહ (કે જેનું બીજું નામ પ્રેમ છે) જીવને ધર્મમાં લઈ જાય છે અને આગળ વધારે છે તે ઉપાદેય છે. અલબત્ત બહ ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા માટે આ વાત નથી. તારક પશુ–સર્વજ્ઞ ભગવાનના વિરહમાં સાચા ભક્તો પ્રભુની યાદદાસ્ત તાજી રાખવા માટે પ્રભુની મૂર્તિ બનાવીને તે પિતાના ઘરમાં કે મંદિરમાં રાખે તેને ડોગીજી ઈચ્છી-મોહ કહે છે એટલે તે ઈચ્છામેહને અર્થ પ્રભુ-પ્રેમ થયો. કારણ કે પ્રભુ–પ્રેમથી જ ભક્તોએ પ્રભુની મૂર્તિ બનાવી. એટલે કે શ્રી શીજી પ્રભુ-પ્રેમને હેય માને છે એમ સાબિત થયું, અને પ્રભુ-પ્રેમને જૈનધર્મને મૌલિક આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy