SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪ ૩૭ જંઘાચારણ વિદ્યાચારણ મુનિઓએ અહીંની પ્રતિમાઓને વાંદી હતી. ૪. આંબેડ પરિવાવ્રાજક શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબા પરિવ્રાજકે પ્રતિજ્ઞા લીધી છે કે – મને અરિહંત અને અરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થક, અન્ય તીર્થિક દેવો અને અન્ય તીર્થ કે એ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યોને વંદન કરવા, નમસ્કાર કરવા.......વગેરે કરવું કશે નહિ. અહીં પણ સ્થાને અર્થ એ છે તે માટે જુઓ મૂળ જૈન ધર્મ 5 પાનાં ૧૨૩-૧રક. શ્રી રતનલાલજી ડોશી સ્થાપિત સધુમાર્ગ જૈન સંસ્કૃતિ રક્ષક સંધ તરફથી મુનિશ્રી ઉમેશચંદ્રજીના અનુવાદ સહિતનું ઉવવાઈ સૂત્ર હમણું જ બહાર પડયું છે. તેમાં શ્રી ઉમેશ મુનિએ ટીકા કરતાં લખ્યું છે કે – “ અહીં “અહિત ચૈત્ય"ને અર્થ “ નિગ્રંથ શ્રમણ” કર જોઈએ અને “અન્ય તીકિએ ગ્રહણ કરેલ અરિહંત ચૈત્ય નો અર્થ “દષ્ટિભ્રષ્ટ તથા ચારિત્રભ્રષ્ટ એટલે કે જિનશાસન છેડીને બીજા સંઘમાં ભળી ગયેલ નિગ્રંથ શ્રમણ” એમ અર્થ કરવો જોઈએ.” શ્રી ઉમેશ મુનિજી એક વાત તદ્દન વિસારી દીએ છે કે જિન હાસન છોડી જનાર સાધુને જૈન સાધુ કે નિગ્રંથ શ્રમણ કહેવાતો જ નથી. વ્યવહારમાં તે જૈન ધર્મ છેડી જનારને અજૈન જ કહેવાય છે. પણ શ્રી ઉમેશ મુનિજી સંપ્રદાયવાદના તેરમાં વ્યવહારને તદ્દન ભૂલી ગયા છે અને તેમણે ખોટી વાત આગળ ધરી છે. બીજ અરિહંત ચૈત્યને અર્થ તેઓ શ્રમણ-સાધુ કરે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy