SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ મૂળ જૈન ધર્મ અને જૈન સાધુ દ્વારા જે અપમાન થયું એ વિષયમાં બધા સહમત છે. વિક્રમ સંવત ૧૫૪૪ની આસપાસમાં થયેલા ઉપાધ્યાય કમળસંયમ, તેમની સિદ્ધાંત એપાઈમાં લખે છે કે – પરેજખાન નામનો બાદશાહ દેહરાં અને પૌષધશાળાને પાડી નાખીને જિનમતને પીડા આપતા હતા. દુષમ કાળના પ્રભાવે લેકશાહને, તાવની સાથે માથું દુઃખવા આવે તેમ, તેને સંગ મળી ગયા. આવેશમાં અંધ બનેલે મનુષ્ય કયું કર્યું અકૃત્ય કરતા નથી? એ વિષયમાં જમાલિ અને ગશાલાનાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે. કે ધાવેશમાં આવેલા લંકાશાહ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી પિતાના ધર્મથી પતિત થયા. તે પહેલાં લોકશાહ ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા. એવા ઉલ્લેખો મળી આવે છે. પરંતુ સાધુઓ દ્વારા અપમાનિત થયા પછી સૈયદનો સંગ મળી ગયું અને અગ્નિમાં ઘી નાખવાની જેમ, સૈયદે તેમની પાસેથી મંદિર અને મૂતિએ છોડાવી દીધા. ત્યારથી તે પૂજા કરવાની ક્રિયાને નિરર્થક માનવા લાગ્યા. એક બાજુ એમનું અપમાન અને બીજી બાજુ મુરલીમોને સાગ, લોકાશાને કર્તવ્યભ્રષ્ટ કરનારે થયો. સૈયદે તેને કહ્યું કે–ઈશ્વર તે મુક્તિમાં છે અને નાપાકીથી દૂર છે. તે તેને માટે મૂર્તિઓની, મંદિરોની શી જરૂર છે? લંકાશાહને આ વાત સોળ આના સાચી લાગી. ( લોંકાશાહે કેવળ એક મૂર્તિપૂજાને જ વિરોધ કર્યો છે એમ નથી. પણ જૈન આગમ, જૈન સંસ્કૃતિ, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેનો પણ વિરોધ કર્યો છે. તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તેઓ મૂર્તિપૂજાના સમર્થક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy