SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ४०१ મૂળ જૈન ધર્મ અને શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કે-દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્યવિદ્યા સિદ્ધ કરી હતી. ઉપરનાં કેટલાંક દષ્ટાંતે એવાં છે કે તેમાં શરીરને આકાર પણ સર રહેતો નથી. એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષનો અનુભવ મળતો દેખી શકાય છે તે પછી સાક્ષાત પરમાત્માના સ્વરૂપને બાધ કરાવનારી મૂર્તિ, પૂર્ણાનંદ જે મોક્ષ તેને હેતુ કેમ ન થાય? શાંત મુદ્રાવાળી શ્રી વિતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ ગ્રહણપૂર્વકની પૂજા, જ્ઞાનવાન પ્રભુને વહેલા મોડા અવશ્ય પ્રાપ્ત કરાવી આપે છે. જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર મનુષ્યોને સંપૂર્ણ આદર હોય છે તેનાં નામ, સ્થાપના તથા ગુણગ્રામના સ્મરણ, દર્શન કે શ્રવણથી જરૂર તે તે વસ્તુ પરના પ્રેમ અને આદરની વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર યાર છે તેના નામ, મૂર્તિ કે ગુણને માન આયાથી તે સક્ષાત વસ્તુને જ માન અને આદર આપ્યાને અનુભવ થાય છે. કાઈ શ્રીમંત પિતાએ પરદેશથી પિતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે–“અમુક પુરુષને પાંચ હજાર રૂપિયા આપજો.” હવે તે પુત્ર તે પત્રને પિતાના સાક્ષાત હુકમ રૂ૫ માનીને તેને અમલ કરે કે નહિ? જે અમલ કરે એમ કહેશે તે તે હુકમ કાગળમાં સ્થાપના ૨૫ હોવાથી સ્થાપના માન્ય રાખવા લાયક સિદ્ધ થઈ ગઈ જે કહેશે કે “કાગળ માત્રથી અમલ ન કરે તો તેમ કરનાર પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલ્લંધન કર્યું ગણાશે? પાલન નહિ પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણાશે. એ ન્યાયે શ્રી તીર્થકર-ગણધર-પ્રણીત સ્ત્રમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર ખુદ ભગવાનનો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy