SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૨ ૩૮૫ મૂર્તિને વિરોધ કરાવવામાં લોકાશાહ મુખ્ય મનાય છે, પરંતુ લેકિાશાહને મૂર્તિને વિરોધ સળમી સદીમાં શું અચાનક એકદમ ઉભો થઈ ગયે તો? બે હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાને વિરોધ પર્યાપ્ત રીતે પૂર્વની પૂષ્ઠભૂમિ વિના કદી સફળ થઈ શકે નહિ. વિક્રમની ૧૧ મી સદીમાં જૈન મંદિર વિષયને વિવાદ એ તે સુવિખ્યાત છે કે શ્રી હરિભદ્રસૂરિના વખતમાં એટલે કે વિક્રમની આઠમી સદીમાં જૈન સંઘમાં ચૈત્યવાસિયોને ઘણો મોટો દબદબો હતો. શ્રી હરિભદ્રાચાર્યે તેમની જે કરડા શબ્દોમાં નિદા ભર્સના કરી છે. તે તે સમયની સ્થિતિ સમજવા માટે પૂરતી છે. કેટલાક અણસમજુ લોકો કહે છે કે એ પણ તીર્થકરોને વેષ છે તેને નમસ્કાર કરવો જોઈએ. અહે! ધિક્કાર છે તેમને ! હું મારા શિરસ્થળને પિકાર કેની આગળ જઈને કરું?” • વળી તેમણે તેમના અષ્ટક પ્રકરણમાં વ્યસ્વતનું લક્ષ કરીને કહ્યું છે કે –“ધર્મને માટે ધન કમાવાની ઇચ્છા કરવા કરતાં ઇચ્છા ન કરવી તે અધિક ઉત્તમ છે.” આચાર્યશ્રીએ એમ શા માટે કહ્યું છે તેનું વિવેચન કરવાની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યું પણ એ જ વાત તેમના ગશાસ”ની પણ ટીકામાં પણ કહેલ છે. આ કથનને પ્રસ્તુત વિવાદની પૃષ્ઠભૂમિ સમજવાને માટે ધ્યાનમાં રાખવું જરૂરી છે. વિક્રમની ૧૧ મી સદીમાં ચંદ્રગથ્વીય વર્ધમાન સૂરિના એક શિષ્ય જિનેશ્વરસૂરિ થઈ ગયા. ખરતર ગ૭ શ્રી જિનેશ્વરસરિને તેમના આદ્યપુરૂષ માને છે. તેમણે વિ. સં. ૧૧૦૮ના માગસર વદ પાંચમે કથાકેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy