SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દશમું પ્રાચીનકાળની મૂર્તિઓ મૂર્તિ સંબધી આપણે ત્રણ રીતે વિચાર કરવાનો છે એમ મેં સાતમા પ્રકરણમાં જણાવ્યું હતું. પહેલે વિચાર મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ તે વિષે કરવાનું હતું. આની પહેલાંના બે પ્રકરણમાં આપણે જોઈ ગયા કે મૂર્તિની માન્યતા ધર્મવિરુદ્ધ તે નથી જ પણ ને વ્યવહાર ધર્મનું એક અંગ છે. હવે આપણે બીજા નંબરને એટલે કે પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ તે સંબંધી અહીં વિચાર કરવાને છે. હાલમાં મદિર મૂર્તિઓ વિદ્યમાન છે તે ઉપરના શિલાલેખે તથા પ્રાચીન શહેરોની શેવાળ માટે થતા કામમાંથી મળી આવેલ મૂર્તિઓ તથા બીજા સાધનો ઉપરથી મૂર્તિ ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના વખતમાં અને તે પહેલાં પણ હતી તે સિદ્ધ થાય છે. આ માટેનાં સંકડે ઉદાહરણે છે તે અને આપી શકાય તેમ નથી. પણ તેમાંના બહુ જ થોડા અને તે પણ ટુંકી વિગતથી અહીં આપવામાં આવે છે. આ બધાની પૂરી વિગત માટે પુરાતત્વ ખાતાના રિપોર્ટો તથા સ્ત, શિલાલેખેના પ્રસિદ્ધ થયેલા પુસ્તકે, ભારતવર્ષને પ્રાચીન ઈનિકાસ, મૂર્તિ પૂજક પ્રાચીન ઇતિહાસ વગેરે અનેક પુસ્તકો ઉપલબ્ધ છે તે જોઈ લેવાની જિજ્ઞાસુ વાંચકોને વિનંતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy