SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સપ્રહાયા પ્ર. ૯ ૧૦૧ કલ્યાણુકેના જીતવ્યવહારનું કારણ ? તીર્થંકર ભગવાનના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળ જ્ઞાન પ્રાપ્તિ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવવા એ સર્વાં દેવદેવીઓના જીતવ્યવાર છે તેમાં ધર્મ નથી એવી સ્થાનકવાસીની દલીલ છે. તે તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ મહાપુરુષના ક્રલ્યાણુક ઉજવવાના જીતવ્યવહાર દેવા માટે કેમ નથી ? જીતવ્યવહાર રૂઢ થવાનું કારણ શું? તીર્થંકર ભગવાનના જ કલ્યાણક ઉજવવામા જીત વ્યવહાર રૂઢ થવાનું કારણ એ જ હાઈ શકે કે તીર્થંકર ભગવાનની ભક્તિમાં જ ધર્મ છે. માટે તીર્થંકર ભગવાનના કલ્યાણકો ઉજવવા તે પણ ભગવાનની ભક્તિ છે માટે ધમ છે, પશુ ખીજા કોઈ પુરુષના જન્મ વગે૨ે કલ્યાણક કહેવાતા નથી અને તે ઉજવવામાં ધમ પણ નથી માટે દેવાના છત વ્યવહારમાં આવેલ નથી. એટલે દેવાના જીત વ્યવહાર ધર્મના કારણે જરૂઢ થયા છે. અને તે કલ્યાણકા ઉજવવામાં ધ્રુવની જેવી ભાવના હાય તે પ્રમાણે તેને ધર્મ અથવા પુણ્ય કે પાપની પ્રાપ્તિ થાય. જીત વ્યવહાર એટલે વ્યવહાર ધમ જૈન ધર્મ એક જ છે અને તે સંસારના સર્વ જીવા માટે એક સરખા જ છે. તેમાં ફેરફાર નથી. તિય ચ, મનુષ્ય કે દૈવમાંની ગમે તે ગતિને જીવ હોય પણ તેને માટે ધમ' તેા એક જ અને એકસરખા જ છે. ધમ'ના સિદ્ધાંતા, ધર્મના નિયમે દરેક ગતિના દરેક જીવ માટે એક સરખા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy