SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૦ ) તીર્થકરેમાં પણ એ પરીસાદાની પાસજી કહેવાય છે. આ લેકને પરલોકના સુખાથી જીવને એ જાગતા કલ્પવૃક્ષ સમાન છે. અમે તે એમનું મહાઓ કાને સાંભળ્યું હતું, આપને તો એને પ્રત્યક્ષ અનુભવ થયો છે.” વિભીષણે કહ્યું. તીર્થકર અચિંત્ય પ્રભાવવાળા જ હોય છે. જે યુને તમારા બંધુ રાવણે શાંતિનાથ ભગવાનની આગળ ધ્યાન કરતાં : અલપકાળમાંજ બહુરૂપી વિદ્યા પ્રગટ કરી. આ પાર્થ નાથના પ્રભાવે અમે સમુદ્રનું જલ થંભાવ્યું ને ઉપર પાજ બાંધી શક્યા. એ અનંત શક્તિવાળાઓને પ્રભાવ આપણી અલ્પમતિથી ઘણું જ અગોચર જણાય છે.” રામે કહ્યું. આપનું કહેવું સત્ય છે. લક્ષમણુજીને વાગેલી અમેઘ વિજ્યાશકિત કે જે સુદર્શન ચક કરતાં પણ રાવણને અતિ ઉપયોગી થઈ એ શક્તિ પણ ભગવંત ભકિતનું જ ફલ હતું.” વિભીષણે કહ્યું. “એટલે ?” રામે પૂછ્યું. “એક દિવસ રાવણ અંત:પુર સહિત અષ્ટાપદ પર્વત ઉપર શ્રી આદિનાથને વંદન કરવાને ગયા હતા. ત્યાં ભક્તિથી પોતે વીણા વગાડતા હતા ને મંદોદરી નૃત્ય કરતાં હતાં, એ નાટારંગમાં રાવણુ અને મંદરી એવાં તો એકાગ્રચિત્તવાળાં હતાં કે જગતનું બીજુ સર્વ કંઈ તે ભૂલી ગયાં હતાં. એ નાટક જેવાને દેવતાઓ પણ વિમાને બેસીને આકાશમાં ઉભા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy