SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) રાતે પીળો થતે ને અધર ડસને ખડુગ ખેંચીને વિભીષણને મારવાને ધો. વિભીષણે પણ હાથીની જેમ મેટો થંભ ઉપાડીને રાવણની સામે થયે એટલે કુંભકર્ણ અને ઇંદ્રજીતે વચમાં પડીને એમને યુદ્ધ કરતાં અટકાવીને બન્નેને જુદા પાડ્યા અને ત્યાંથી જતાં જતાં રાવણે કહ્યું કે “વિભીષણ? મારી નગરી સવર ત્યાગ કરી ચાલ્યા જા !” રાવણને હકમ સાંભળીને વિભીષણ લંકા નગરીની બહાર નીકળે. તેની પછવાડે રાક્ષસો અને વિદ્યાધરની ત્રીસ કેટી સંખ્યા ચાલી નિકળી. લંકામાંથી નિકળીને રામચંદ્રની છાવણમાં વિભીષણને આવતે જોઈને સુગ્રીવાદિ વરે ક્ષોભ પામી ગયા. કેમકે ડાકણની જેમ શત્રુઓ ઉપર એકદમ વિશ્વાસ આવતું નથી. નજીક આવતાં વિભીષણે દૂત મેકલીને પિતાના આવાગમનના સમાચાર રામને કહેવડાવ્યા. દૂતના મુખેથી વાણું સાંભળીને રામે વિશ્વાસપાત્ર સુગ્રીવના સામે જોયું. એટલે સુગ્રીવ બલ્ય, “હે દેવ? જો કે રાક્ષસે જન્મથી જ માયાવી અને પ્રકૃતિએ શુદ્ર હોય છે; છતાં આ વિભીષણ અહીંયાં આવે છે તે ભલે આવે, અમે પ્રચ્છન્ન (ગુપ્ત) પણ એને શુભાશુભ ભાવ જાણી લેવા પ્રયત્ન કરીશું.” સ્વામી ! રાક્ષસકુળમાં આ વિભીષણ એક ધાર્મિક નર છે. સીતા આપને માનપૂર્વક પાછી મેંપવાને રાવણને પ્રાર્થના કરતાં ક્રોધથી અપમાન કરીને કાઢી મુકેલે આપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy