SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું. શ્રી સ્થંભન પાર્શ્વનાથ એ અથાગ મેજાંના ઉછળતા જળના વેગ ધસારાબંધ ઝાઝમાં પણ પડતા જેમ જેમ ઝાઝમાં પાણી ભરાતું તેમ તેમ એ લેકે અને ખારવાઓ ભરી ભરીને સમુદ્રમાં ફેંકી દેતા. જેથી એવા તોફાનમાં પણ મહિના પર્યત વહાણે તોફાનમાં ત્યાં હતાં. નાના મોટા વ્યાપારીઓ મતના ભયથી પાછા ભાગતા પ્રભુની પ્રાર્થના કરી રહ્યા હતા. ઝાઝની ડુબવાની તૈયારીમાં હોવાથી ધનપતિ સાથે વાહ પોતાની નિંદા કરતો એ ઝાઝના છેલ્લા ફલક ઉપર આવ્યા. “હા! હા! મેં દ્રવ્યના લાભે આ સર્વેને બેસાડ્યા. અને ભાર કેટલે વળે છે એની પણ દરકાર કરી નહી. તે આજે આ સ્થિતિ ઉપસ્થિત થઈ. મારા એક તુચ્છ લાભની ખાતર આ સર્વે જીવોની હિંસા અત્યારે મારે જોવી પડશે. મારે પણ બરે મતે મરવું પડશે. અરે! મરણની તે પરવા નહી પરંતુ, આ સર્વે મારા નિમિત્તે મરી જાય, એ ભયંકર પાપ લઈને હું પણ પરલેકે પ્રયાણ કરી મારા આત્માને અગતીએ પહોંચાડીશ. હા ? ધિક્કાર છે મને ! કે દ્રવ્યના લોભે આ શું કર્યું ! હવે તે આ ઝાઝ ડુબે તે પહેલાં હું જ જલમાં પડી આપઘાત કરીને મરી જાઉં કે જેથી એમનાં આકંદ મારે સાંભળવા પડે નહી. આ કપાયમાન થયેલા સમુદ્રદેવને હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ સર્વે જીવી છે. અરે ! ભયંકર
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy