SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૪ ) હતાં. ઘરમાં, ગેાખમાં, ભીંતમાં, પછીતમાં રહેલી પત્થર, કાષ્ટાદિકની મૂર્તિએ હસવા લાગી. સૂર્ય મ`ડલમાં છિદ્ર જોવામાં આવ્યું. ચંદ્ર સૂર્યનાં વારંવાર ગ્રહણ થવા લાગ્યાં. ભીંતામાં ચિત્રેલા દેવતા અને દેવીએ અટ્ટહાસ કરવા લાગ્યાં. ધુમાડાના ગોટેગેાટ ફેલાવા લાગ્યાં. અધુરામાં પુરા હિંસક જાનવરે નગરજનેાને હેરાન કરવા લાગ્યાં. એ સમયે સ્વયં દ્વૈપાયનદેવ પણ શાકિની, ડાકિની, ભૂત અને વૈતાલાને સાથે લઇને નગરમાં કરવા લાગ્યા. નગરજના આ ભયંકર દશ્યા જોવા લાગ્યા. રામ કૃષ્ણનાં એ પ્રભાવિક હલ, ચક્ર, આદિ રતો અદૃશ્ય થઈ ગયાં. દ્વૈપાયને નગરમાં ભમતા સ ંવવાયુ ઉત્પન્ન કર્યો. એ વાયુએ કાષ્ટને તૃણ વગેરે બધેથી લાવી લાવીને નગરીમાં નાંખવા માંડ્યાં. તેમજ જે લેાકેા મેાતના ભયથી નગરીની બહાર નાશી જતા હતા તેમને પણ પાછા લાવી લાવીને નગરીમાં નાખ્યા. સર્વે દિશામાંથી વૃક્ષાને ઉખેડીને નગરીમાં નાંખી આખી નગરી કાષ્ટથી ભરી દીધી. તેમજ સાઠ કુલકાટી બહાર રહેલાને મહેાતેર કુલકાટી દ્વારકામાં રહેનારા એ સર્વેને એકઠા કરીને એ દ્વૈપાયન અસુરે દ્વારિકામાં અગ્નિ પ્રગટ કર્યા. પ્રલયકાળના અગ્નિ સમે એ અગ્નિ બધા વિશ્વને અધકારથી પૂરી દેતા ધર્ ર્ શબ્દ કરતા દ્વારિકાને ખાળવા લાગ્યા. એનું ભક્ષણ કરવા લાગ્યા. દેવતાની અપૂર્વ શક્તિથી ખાલકથી તે વૃદ્ધ પર્યંત બધા લેાકેા એડીથી જાણે ધાણા હોય એમ પાતાની જગામેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy