SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરુર પ૭૩ સ્વીકારવાની આ નિરક્ષર સમૂહ ચોખ્ખી ના પાડે છે. માનવજાતિ માટે ઉપયોગ કરો, પ્રાણજગતમાં આ સારી ઓલાદ ઉપજાવવાનાં સારાં પરિણામ જોયા પછી, તેમજ વનસ્પતિજગતમાં પણ સારાં ફળવાળાં વૃક્ષ ઉપજાવવાની કલા હસ્તગત કર્યા પછી પણ એમ નથી લાગતું કે, માનવજાતિમાં પણ સારી સંતતિ ઉત્પન્ન કરવા માટે ખાસ કાળજી અને ચીવટની જરૂર છે ? જાતીય પતન આપણું બારણું ખખડાવી રહ્યું છે. દરેક વર્ષે નબળી અને નબળી સંતતિને પાક ઉતરતો જાય છે. મકકમ વિચારવાળાં અને સબળ દેહવાળાં શરીરે દષ્ટિમર્યાદામાંથી દૂર થતાં જાય છે; છતાં આપણા સમાજમાં આ વિષે અતિ કરુણાજનક બેદરકારી દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે, અમુક યોજના પર પાળેલાં ઢોર જે ઉછેરીએ, જે અમુક ઢબ પર આપણે જાનવરો ઉછેરીએ તો તેમાંથી સારા અને હિતકર સંકારવાળી સંતતિ ઉત્પન્ન કરવી શક્ય છે; તે પછી આપણે જે ઢબે પ્રાણુજાતને કેળવીએ છીએ, જે યોજનાથી પાળેલાં જાનવરોમાં સારી સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય તે તે યોજના શા માટે આપણે આપણું જાત માટે પણ અમલમાં ન મૂકવી ? જે યોજનાઓ દ્વારા આવાં સફળ પરિણામે સાધી શકાયાં છે, તે પેજના માનવજાતિની સારી સંતતિ ઉત્પન્ન કરવામાં શા માટે ન વાપરવી ? માનવજાતિનો ઈતિહાસ પણ તમે કહેશો કે “માણસ એ કંઈ જાનવર નથી. વ્યક્તિ એ કંઈ વૃક્ષ નથી કે તેનાં સારાં પરિણામ નીપજાવવા માટે ખાસ યોજનાઓ કરવી પડે.” પણ ખરેખર માણસ જાનવર નથી, પણ જાનવરનો પિત્રાઈ છે. પ્રખર વિચારક ડાવીને હવે સાબીત કરી આપ્યું છે કે, આપણે બધા એક જ વંશ(સ્ટક)માંથી ઉતરી આવેલાં પ્રાણુઓ છીએ. સંભવ છે કે, તળાવમાં એક નાનો સરખો દેડકો પણ માનવવંશમાં એક પૂર્વજનું સ્થાન પામી શકે એમ છે. પણ પુરાતત્ત્વની હાલની શોધખેળાએ સાબીત કર્યું છે કે, જગત ઉપર દીસતી સર્વ જીવંત વસ્તુનું મૂળ પૂર્વજ એક અમર અમીબા (એબ્સબા) છે. આ પૂર્વજ નાશ પામતું જ નથી. કારણ કે તે વિકાસ પામતાં આપોઆપ બે બની જાય છે. તો પછી જગત ઉપર દીસતી ભિન્નભિન્ન જાતો માટે તેમજ ભિન્નભિન્ન પ્રાણુઓ માટે આ સાયન્ટિસ્ટોને સમૂહ શું કારણ આપે છે ? તેઓ કહે છે કે, કુદરતે એક લોખંડી કાયદો ઘડે છે. આ કાયદાનો અમલ પણ એટલો જ લોખંડી ઢબે કરવામાં આવે છે. તેઓ કહે છે કે, જીવવાને માટે દરેકને ખાસ જેહમત ઉઠાવવી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy