SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાત્તમ શ્રીકૃષ્ણ ૪૧૩ લાલપીળાં કપડાં રંગતા ને તે પહેરતા. વાંસની બંસી-વેણુ તે બનાવતા તે બજાવતા તે એવું સૂરીલુ ગાતા એવું મધુર વગાડતા કે ધેનુ પણ એની વાંસળીએ થનગનતી—નૃત્ય કરતી. ગેાપીઓ ધંધા વિસરી જોવા દેડી જતી. ને સાનભાન—લૂગડાંલત્તાં–લેાકલાજ–ને વડીલના દાખ સૌ અદૃશ્ય થઇ જતાં. આથીજ આલ કારિક ભાષામાં કહેવાયું કે એ બંસરીથી—“જળ થંભ્યાં, પર્યંત ડેાલ્યા, સમાધિઓ છૂટી, વાયુસૂર્ય-ચંદ્ર ૪૦ દૈવી ચીજોના વ્યવહાર અટકી ગયા, દિવસરાત એક થઈ ગયાં, બલ્કે ભૂલાઇ ગયાં (દિવસ છે કે રાત એ ભાન ન રહે ),ગેાપ–ગે પાંગના ભાન ભૂલ્યાં–ગાંડાં થયાં, ગેાપીએ ભાન ભૂલી, વાંસળી વાય ને કપડાં-કામ ચૂકી, નવસ્રી દે।ડવા માંડે.' ઈ-૪૦ આમ એ બંસીધર કહેવાયે. આ અને આવાં કામાએ તેની ખ્યાતિ એટલી બધી વધી પડી કે કંસ મુંઝાઈ ગયા. તેની નિંદુ ઉડી ગઇ. શું કરવું તે વિચાર તેને થઈ પડયા. આખરે તેણે નંદરાય કે જે પેાતાના ગાધનથી એક રાજા જેવેા ગણાતા તેની પાસે મિત્રભાવે તેના પુત્રને મળવા, લેાલવા, આનંદવા આમત્ર્યા. નંદરાજા આ આમત્રણ ન ઠેલી શક્યા. તે કૃષ્ણ તથા બળદેવ કે જે તેની માતા રાહિણીથી ઉત્પન્ન થયેલા તેનેા વડા ભાઇ, તેનેા હંમેશના સહચર, ને અતિ બળશાળી માનનીય વડા ભાઇ હતા, તે બેઉને સાથે મેકલ્યા. રસ્તે અને રાજધાની મથુરામાં જતાં તેમની અજબ જોડીએ તેના મેાહક કમનીય સ્વરૂપે, અજબ વ્યક્તિત્વે રાજના કમ ચારી અને દાસદાસીને એવાં તે એટલાં આકર્ષ્યા કે ભાન ભૂલી કંસ માટે લઇ જતાં ચંદનપુષ્પા, ગપો, પૂજન, અર્ચના, વેષભૂષાએ તેને અર્પણ કરવા લાગ્યા. ક ંસે જ્યારે આ જાણ્યુ' ત્યારે તેના ક્રોધ ભભૂકી ઉઠયેા. તેણે દગા કર્યાં. તેમના પર હાથીએ છેડયા-મલ્લા ને મારાએ મૂક્યા. પણ આ બળવાન ભાઇઓએ તેને ચૂણ વિચૂર્ણ કરી નાખ્યાં. ત્યારે ક્રોધે ભરાઇ તે જાતે મારવા દોડયા. પણ કસ કરતાંએ આ નાના લાગતા બાળક વધારે બળવાન હતા. કંસને કૃષ્ણે પળમાં પૂરા કર્યાં. અને મથુરા નગરીના રાજ્યમાં જે દુષ્ટતાપાવતા, કંસના રાક્ષસી સ્વભાવથી છાઇ હતી તેના વિનાશ કર્યાં. માબાપ વાસુદેવ દેવકીને છેડાવ્યાં, બંધનમુક્ત કર્યાં. માતામહને ગાદી આપી તે પેાતે બાળક બની રહ્યા. મથુરા જેવું મહાન ને સમૃદ્ધ રાજ્ય હાથમાં આવવા છતાં ન લલચાતાં ભણવા માટે પ્રયાણુ કર્યું.... આનું નામ તે મહાનતા. ત્યારે ગુલામી નહાતી, પ્રજાની રગેરગમાં સ્વતંત્રતા ભરી હતી, નસેનસમાં જોમ ભર્યું· હતું. નિ`ળ દૃષ્ટિનાં ને તેથીએ વધારે નિળ દિલનાં માનવે ત્યારે જન્મતાં ને વિલસતાં; ને એ વિલાસમાં વિકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy