SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પરદેશી ખાડ એટલે ભ્રષ્ટતાને ભંડાર! ૬૦ છે. ઘરમાં જ મહત્ત્વપૂર્ણ અને અત્યંત અગત્યના પાઠનું શિક્ષણ મળે છે; માટે મહાન પુછો ઉત્પન્ન કરવા માટે અમારે એવી માતાઓની અગત્ય છે, કે જે પોતાને પૂર્ણ સમય કઠિન કાર્યો કરવામાં ગાળવાની ગ્યતા રાખતી હોય અને સાથે અમને એવી જનનીઓની અગત્ય છે, કે જેનું હદય અને મસ્તિષ્ક સંપૂર્ણ રીતે વિશુદ્ધ હેય.” ૪૨-પરદેશી ખાંડ એટલે ભ્રષ્ટતાનો ભંડાર! (લેખક-એક પ્રજાજન–“ કછી” તા.૨૦-૫-૨૩) ૧ એનસાઈકલોપીડીઆ બ્રીટાનીકા જેવો બળવાન અને ઘણું વર્ષોની શોધખોળને અંતે તૈયાર થયેલો મહાન ગ્રંથ કે જેને આધારે સરકાર ફેંસલા આપે છે, તેને ૬૬૭ મે પાને લખેલ છે કે –“ખાંડ સાફ કરતી વખતે દરેક જનાવરના લોહી તથા હાડકાંના કેલસાને ચૂને નાખવામાં આવે છે. ” - ૨ ડીક્ષનેરી ઓંફ આર્ટસ-૬ ઠ્ઠી આવૃત્તિ-લંડન, પાને ૮૨૦ મે લખ્યું છે કે –“ગાંગડા બનાવવામાં આવે છે, તે વખતે ૫૪ મણુ ખાંડમાં ૨૭ મણ હાડકાંના કેલસાને ભૂકો નાખવામાં આવે છે, અને ખાંડ સાફ કરવાનાં કારખાનાં ગામમાં છે, તેમાં ભારોભાર હાડકાંના કોલસાને ભૂકો નાખવામાં આવે છે.” ૩ સ્વામી ભાસ્કરાનંદ લખે છે કે:-“જ્યારે હું વિલાયત ગયો, ત્યારે મેં કેટલાંક ખાંડનાં કારખાનાં જોયાં. તેમાં પહેલે માળે ચઢતાંજ મને ઉલટી થશે એમ લાગ્યું. હું નહેતે જાણતો કે, આવી અપવિત્ર ચીજોથી ખાંડ બને છે; પણ નજરે જોતાં સખેદ આશ્ચર્ય થાય છે કે, જે ચીજને અડવાથી પણ મહાન પાપ લાગે તે ચીજ હિંદુઓથી ખવાયજ કેમ?” ૪ ભારતમિત્રતા ૨૮-૧૦-૧૯૦૫ ના અંકમાં જણાવે છે કે – સારી ખાંડ બનાવવા માટે જેમ આ દેશમાં દૂધ વપરાય છે, તેમ ત્યાં જનાવરોના લોહીથી ખાંડની અંદરનો મેલ કાપવામાં આવે છે; કારણ કે કસાઈખાનામાં દૂધ કરતાં લોહી સસ્તુ મળે છે. મિસ્ટર હેરીસ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy