SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तम जीवनचरित्रोनो महिमा (અનેક અનુભવીએના ઉદ્ગાર) જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણુ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણ જુએ છે, ત્યારે તે ખાંપણુને કાઢી નાખવા અને ક્રાંતિમાં વધારા કરવામાટે પ્રયત્ન કરે છે; તેમ ચરિત્રરૂપી આરસીથી પેાતાના સ્વભાવમાં વળગેલાં ભૂષણુદૂષણુ-ગુણુદોષ તેના જોવામાં આવે છે અને તેમ થતાં દૂષણુના ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગ્રત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા ખેાધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઇથી પાર પાડી શકે છે. અતિ શ્રમ લઈ વિદ્યા સા, દેશાટન કરેા, સ્વદેશહિતેચ્છુ થા, પ્રેમશૈા` દાખવા, એવા એવા ઉપદેશા મુખે અથા પુસ્તકારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણાથી અંકિત થઇ પ્રખ્યાતિમાં આવેલા મહાપુરુષાનાં ચિરત્ર વાંચી સમજવાથી અધિક અસર થાય છે. વાંચનારના સ્મરણસ્થાનમાં તેની આબાદ ઉ`ડી છાપ પડે છે અને પછી તે તેને અનુસરીને ઉત્તેજિત થઈને બહુ!ર પડે છે. '' "6 "" 66 ઉત્તમ ચિત્રા તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પશુ પેહાનું જીવન કેટલી હદસુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસરી ફેલાવી શકે.” ચરિત્રાના વાચનથી માપ. ચૈતન્ય સતેજ થાય છે, આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કાવત, હિંમત અને શ્રદ્દા આવે છે. આપણે આપણા ઉપર તેમજ બીજા ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે, આપણે રૂડાં કાર્યામાં જોડાઇએ છીએ અને મોટાનાં કામેામાં તેમની સાથે હિસ્સેદાર થવાને ઉશ્કેરાઇએ છીએ. આ પ્રમાણે જીવનચરિત્રાના સહવાસમાં રહેવું, જીવવું અને તેમાંના દાખલાઓ જોઇને સ્ફૂર્તિમાન થવુ, એ તે તે ઉત્તમ આત્મામાના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મડળમાં સહવામ કરવા બરાબર છે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy