SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સેકેરીન છે દેશનિકાલ! કિહે ડોકટરોનું કહેવું એવું છે કે, શરીર સારું રાખવાને માટે પ્રભુએ મને દરવાજે બનાવ્યો છે. જે ઘરના બારણામાં આપણે સારા માણસને દાખલ કરીએ તો નુકસાન થાય જ નહિ; પણ જે બેદરકારીથી અથવા જાણીબુઝીને તેમાં ખરાબ માણસો દાખલ થઈ જાય, તે જરૂરજ નુકસાન થાય છે. એમ કહેવામાં આવે છે કે, જે વસ્તુઓ ગમે તેટલી વખત મોંમાં રાખવા છતાં કોઈ પણ જાતનું દુઃખ ન થાય, તેજ વસ્તુઓ ખાવા-પીવામાં વાપરવી જોઈએ. કુલકી, મલાઇ કે આઈસક્રિમ આપણે મેંમાં જરા વાર પણ રાખી શકતા નથી અને તરતજ ગળાનીચે ઉતારવા મહેનત કરીએ છીએ; તેમજ ગરમાગરમ હા-કોફી પણ આપણે મોંમાં રાખી શકતા નથી અને તરતજ ઉતારી જઈએ છીએ. આવી બેહદ ઠંડી કે બેહદ ગરમ ચીજો ખાવાથી જઠરાગ્નિને બહુ જ નુકસાન પહોંચે છે. આપણા શરીરની અંદર મેંથી શરૂ થઈને ઠેઠ પુંઠસુધી એક સળંગ નળી છે. આ નળીને અંદરથી ફરતું ઝીણું ચામડાનું પડ છે. આ પડ એવું સૂક્ષ્મગ્રાહી છે કે આપણા શરીરની ગરમી કરતાં વધારે ગરમ કે વધારે ઠંડી ચીજ તેના સંગમમાં આવે તો તે કઠણ થઈ જાય છે. આમ થવાથી તેનું કામ તે કરી શકતું નથી અને તેથીજ ખોરાક પાચન કરવાની ક્રિયા મંદ પડે છે. આટલા માટે જ બહુ ગરમ કે બહુ ઠંડી ચીજોથી ચેતતા રહેવાની જરૂર છે. આપણે કેટલાક શેખીન ભાઇઓ, સ્વાદના રસીઓ અને ગરમાગરમ દાળ કે કઢીના સબડકા લેવાવાળાઓએ પણ આ વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. હા, કૉફી, કુલદી, મલાઈ વગેરેના રસિકો આની નોંધ લેશે કે? આ પોથીમાંહેલાં રીંગણ નથી હે ભાઈ !! ૨૪-સેકેરીન” દેશનિકાલ! સાકરથી ૫૫૦ ગણી ગળી “સેકેરીન'ને બધા ઓળખે છે. આ કલતારની બનાવટ છે. લાંબો વખત તે વાપરવામાં આવે તે ઝેરી ગણુાય છે, સાકરને બદલે ઘણું માણસો આ ચીજનો ઉપયોગ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy