SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ૧૬ તે પસંદ કરવાની તક ઈશ્વર દરેક અંતઃકરણને આપે છે. એમાંથી ગમે તે એકજ તમે લઇ શકશો–બને એકસાથે તમને કદી મળવાનાં નથી.” હવેલીઓમાં રહેનારાં ઘણું માણસો અસંતોષ અને મદથી પૂછે છે કે, જીંદગી આવી બોજારૂપ અને કંટાળાભરી કેમ છે ? જ્યારે બીજી તરફ એવા પુષ્કળ માણસે છે, કે જેઓ ગરીબમાં ગરીબ અને ઝુંપડીઓમાં રહેવા છતાં પણ ઈશ્વરને અખૂટ પ્રેમ અનુભવે છે અને માની લે છે કે, ઈશ્વરકૃપાથી આપણે નવેનિધિ અને અષ્ટમહાસિદ્ધિ છે.” પિતાના હૃદયના વિકાર ધેયાવિના બીજાનું ભલું કરવા દેડનાર માણસ, કાદવવાળા પિતાના હાથવડે બીજાનું મેં લૂછવા જનારના જે છે.” “यस्यास्ति सद्ग्रंथ विमर्शभाग्यं किं तस्य शुष्कैश्चपला विनोदै" અર્થાત જેના ભાગ્યમાં સારા સારા ગ્રંથો વાંચવા-વિચારવાના હોય છે, તેને ચંચળ લક્ષ્મીના શુષ્ક વિનાદ શી ગણતરીમાં છે? ચારિત્ર્યની એક મુઠ્ઠી જ્ઞાનના હજારે મણ કરતાં વધારે છે. આપણી સંપત્તિને આધાર આપણી કમાવાની શક્તિપર નથી, પણ આપણું ત્યજવાની શક્તિ પર છે. તમારા પિતાના મૃત્યસિવાય બીજા કશાથી તમારી આબરૂને ખરી રીતે છેકે લાગશે નહિ. સ્વાર્થમય જીવન ગાળવું એનું નામ જ પશુતા; પરાર્થમય જીવન ગાળવું એનું નામ મનુષ્યત્વ. ખાલી વિચારકો કરતાં કાર્યવાહકેની હિંદને ઘણું જરૂર છે. પીવાના પ્યાલાને મોઢે માંડતાં પહેલાં દેજે. શાળાઓનો વખત સવારસાંજને ક્યારે સાંભળીશું? મહાત્માઓનાં જીવનચરિત્ર એજ ખરો ઇતિહાસ છે, શુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy