SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Avvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ^ ^^ ^ રેખર એમ તાવવાળો બનાવી શુભસંગ્રહ ભાગ ૧ લે સલનમાં વિદ્યાએ બતાવેલા ઉપાયમાંના રસાયણી ઉપાય પડયા મૂકીને “ભાગ્યોદયના પોષ-૧૯૮૨ના અંકમાંથી લીધા છે.) તાવ અતિવિષ ૦ તોલો, સુરેખાર ૧ તોલે, બને ભેગા વાટી લૂગડે ચાળી ચૂર્ણ બનાવી રાખવું. તેના ૩ ભાગ કરી મધની સાથે દિવસે તાવવાળા દરદીને ચટાડવું. ઉપર મગનું ઓસામણ આપવું, જેથી તાવ મટશે. તાવ-લવીંગ ૧ વાલ, મરી ૧ વાલ, લીંબાળી ૩ વાલ, એ બધું ખાંડી લીમડાના પાનના રસની અંદર ઘુંટી રતી રતીની ગોળીઓ બનાવવી. દિવસમાં ત્રણ વખત બબ્બે ગોળી એમ છ ગાળી લેવી, જેથી તમામ જાતના તાવ મટે છે. હિ–હેડકી:-નેતર ઘસી પાવલીભાર પીવાથી હિકા-હેડકી મટે છે. સાધારણ રીતે હેડકીનું જોર ૯ દિવસ રહે છે, તેમાં પેટની કબઆતની હિષ્કા મટે છે. સન્નિપાતના તાવની હિષ્કા અસાધ્ય ગણાય છે. વી ફાટકની ચાંદી:–બશેર વડાગરૂ મીઠું અને ત્રણ શેર લીંપવાની માટી, બનેને સરખે ભાગે લઈ સાત ગેળા બનાવવા. તેમાંનો ૧ ગળો લાલ થાય ત્યાંસુધી દેવતામાં તપાવો, પછી તેને પાણીમાં બુઝાવી દેવો. તે છમકારેલું પાણી ગાળીને પાઈ દેવું. ઉપર ઘી, સા. કર ને રોટલી ખાવાં. સાત દિવસ પ્રયોગ કરવાથી વિસ્ફોટકની ચાંદીએ મટી જાય છે. રક્તપ્રદર:-ઘાપાની ભસ્મ ૧ તોલે, સાકર અને મધ સાથે આપવાથી રક્તપ્રદર મટી જાય છે. રક્તપિત્ત -ભેંસની પાડીનું છાણ પાણીમાં પલાળીને ઠરવા દઈ તેને સ્સ કાઢી તે લૂગડે ગાળી લઈ તે પાણી સાકર નાખી દિવસમાં બે-ત્રણ વખત પાવાથી લોહી પડતું બંધ થાય છે. ગુમડાં-સુંઠ, ઝેરકચોલું ને વજ, ત્રણે પાણીમાં ઘસીને લેપ કરવો. પછી મકોડનાં પાન (તે ન મળે તો આમલીનાં પાન કે નગેડનાં પાન) છાશની પરાસમાં બાફી તેને ઝીણું વાટી લુગદી કરી ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy