SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચર કે ગોચરણ ૧૦૩ ઘાસજ ઉગે, જ્યારે એ જમીન ખેડાવી તેમાં જુવાર, બાજરી વગેરેનું વાવેતર કરવામાં આવે તો હેરને માટે ઘાસચારે ને માણસમાટે અનાજ બેઉ એકીવખતે પેદા કરી શકાય. ઉપલક દષ્ટિથી જોતાં આ દલીલ વ્યાજબી લાગશે, પણ ગામડાંમાં ફરી જેઓ ખેડુત ને ઢોરની હાલની ને ભૂતકાળની સ્થિતિને મુકાબલો કરી જુએ છે, તેને આવી દલીલ પોકળ જણાયાવિના નહિ રહે. મેં એવા ખેડુતો જોયા છે, કે જેઓ કપાસના મેંઘા ભાવ લઈ પૈસાદાર થવાના લોભમાં બધી જમીનમાં કપાસનું વાવેતર કરી ઢોરનું ગુજરાન પરદેશી ઘાસની બરકી ઉપર ચલાવે છે !!! બીજી રીતે વિચાર કરીએ તો ગૌચરની તંગાશને લીધે ઢોર પાળવાને ખર્ચ વધારે આવતો હોવાથી ખેડુતસિવાય બીજા લેકે ઢોર પાળી શકતા નથી, જેથી ખેડુતવર્ગ ઉપર સમાજને અન્નવસ્ત્ર પૂરું પાડવાના બોજા ઉપરાંત જનસમાજને ઘી-દૂધ પૂરું પાડવાને પણ બોજો રહે છે. ગૌચરણું વધારે હોય, ને ઘાસચારો સસ્તો હોય તો બિનખેડુત પિતાને જોઇતાં ઘી-દૂધને બંદોબસ્ત ઘેર દૂઝણું ઢોર રાખી ઓછા ખર્ચે કરી લેવા લલચાય, વાછરડાં થાય તે ખેડુતોને જુજ કિંમતે મળે અને પરિણામે ખેડુતને સસ્તા બળદો પૂરા પાડવાના સાધનરૂપ બને. જે જમાનામાં ગૌચરણમાટે એકંદર જમીનને ચક્કસ ભાગ રાજાએ ફરજીઆત રીતે અલગ કાઢી આપતા, ઋષિમુનિએ આવા ગૌચરણ ઉપર હજારે ગાયનું પોષણ કરતા, એ ગાયના દૂધથી - જારે બાળકે જંગલમાં પાષાઈ, હષ્ટપુષ્ટ બની બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરતા તે વિદ્યાર્થીઓ સાથે, આજના જમાનામાં હાની સાથે જેને માત્ર એક બે તોલા દૂધ (અને તે પણ ભેળસેળવાળું) આખા દિવસમાં મળતું હોય તેવા સત્ત્વહીન, ઉઠી આંખ, ઘેળા વાળ ને બેસી ગયેલા ગાલવાળા વિદ્યાર્થીઓને સરખા ! મનમાનું ઘાસ આખો દિવસ જંગલમાં સ્વતંત્ર રીતે ચરતા હેરની તંદુરસ્તી સાથે ઘેર બાંધી મૂકેલા ઢોરની તંદુરસ્તી સરખાવો! જે જમાનામાં ઘાસનો ભાવ એક રૂપીઆનું આઠ મણને હતું અને ગાય, બળદ ભેંસની કિંમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com -ધન થાય તે પાવાના સર શા
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy