SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા આગાદ્વારકની પરમે પકારી તીર્થંકર પરમાત્મા પૂર્વભવોની અંદર આરાધના કરીને ભવ્ય જીને ઉદ્ધારવાની કેડ બાંધે છે. તે અનુસાર છેલા ભવની અંદર તીર્થકર થાય છે. તે તીર્થંકર પરમાત્માએ સંયમ અંગીકાર કરીને ઉપસર્ગોને સહન કરીને, ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. અને સમોસરણની અંદર પાંત્રીસ ગુણવાળી વાણું પ્રકાશે છે. આ વાણીને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગુંથે છે. અને તે ગુંથેલું સૂત્ર શ્રુત કહેવાય છે. આ શ્રત ભવ્યને ઉપકાર કરનારું થાય છે. શાસનની અંદર તે શ્રતજ્ઞાન આવેલું છે. તેને આશ્રીને જૈનશાનમાં ચાલવાનું હોય છે. વળી તીર્થંકર પરમાત્માએ ભવ્ય જીને ઉપકાર કરવા દ્વારા એ વાત જાહેર કરેલી છે કે જગતના કલ્યાણની અંદર તમારું કલ્યાણ જ છે. માટે સ્વ અને પરના ઉપકારની ઈચ્છાવાળાએ ભવ્યના ઉપકારની અંદર ઉધમ કરવો જ જોઈએ. તે ઉધમની અંદર શ્રત એ જરૂરી છે. એને માટે જે પિતાને ક્ષયપશમ હેય અને જે રીતે મૃત મેળવ્યું હોય, તે અનુસારે ભવ્યને ઉપદેશ દેવાને છે. ઉપદેશ એ જુદી ચીજ છે. કારણ કે નવ પૂર્વથી કંઇક અધિક ભણેલા જિનક૬૫ વિગેરે કરી શકે છે, પણ દશ પૂર્વ સંપૂર્ણ ભણ્યા પછીથી જિનક૯૫ વિગેરે કરી શકતા નથી. કારણ કે જિનક૯૫ વિગેરે સ્વ ઉપકારને માટે છે, જયારે ઉપદેશ એ સ્વ અને પર બન્નેના ઉપકાર માટે છે. દશ પૂર્વથી ઉપદેશ દેવાની કેઈ અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય છે. આથી દશ પૂવીએ જનકલ્પ લેવાનું નથી પણ ઉપદેશ દેવા માટે તૈયાર રહેવાનું છે. આવી રીતે શ્રુતજ્ઞાન એ ભવ્યને ઉપકાર કરનારું છે. આથી ભવ્યએ પિતે ક્ષોપશમના આધારે ગમે તે પ્રકારે મૃત મેળવ્યું હોય તેને પરોપકારની અંદર વાપરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy