SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ઈબ્રાદિકનું આવાગમન અને પ્રભુને હણુ આદિનું દશ્ય આરસમાં આવેલ છે. તેમજ એક છત્રીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુ! સુંદર પાદુકાએ બિરાજમાન છે. , ... . . . . . . . . 'કે એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશલાજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે-બનારસમાં શ્રાદ્ધના પરિબળને લીધે જૈન મંદિરોની વ્યવસ્થા બરાબર ન હતી, તે વખતે યતિશ્રી કલાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર આદિ બધું સમજાવ્યું. જાનું મંદિર જે હતું તેને પણ : ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મંદિરો વધતાં ગયાં. તેમણે અને ત્યાંના સંધે મળીને ભલુપુર, બની અને સિંહપુરી આદિમાં જીર્ણોદ્ધાર કરાવી, મંદિરે ટકાવી રાખ્યાં. શ્રી સંધે ભક્તિ નિમિત્તે શ્રી કુશલાજી મહારાજની મૂર્તિ અહીં સ્થાપન કરી છે.), ' , - સર્ગ ૧ ; (પા. ૧ થી ૫. ૩૪ સુધીનું વર્ણન) - મંગળાચરણગ્રંથકારે આચાર્ય મહારાજ પ્રથમ મંગળાચરણરૂપે સાધુ તથા શ્રાવક ધર્મનું પિષણ કરવામાં સતત પુરુષાર્થ કરનાર શ્રી રાષભદેવ ભગવંત, કલ્યાણના નિધિ સમાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુ, ત્રણ લોકની શાંતિને કરનાર શ્રી શાંતિનાથ ભગવાન, કાન્તિથી દેદીપ્યમાન શ્રી પાર્શ્વનાથ પરમાત્મા અને આત્મિક કાર્યસિદ્ધિવાળા શ્રી મહાવીરજિનેશ્વરની મંગળાચરણરૂપે સ્તુતિ કરે છે. પછી કાર્ય સિદ્ધિ કરનાર શ્રી સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે. ગુરદ્ભક્તિને કારણે જે મેક્ષલક્ષ્મીને દૂર કરી તે ગીતમસ્વામીની સ્તુતિ કરી પોતાના ગુરુદેવ શ્રી દેવભદ્રાચાર્યોની વાણી કેલ્યાણને વિતરે તેમ ગુરુ ભકિત અને બહુમાન કરી આ ગ્રંથનું સંશોધન કરનાર શ્રી દેવાન ના શિષ્ય શ્રી કનકપ્રભ મુનિના શિષ્ય શ્રીમદનમરિ જયવંતા વર્તો. શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય શ્રીમાનતંગસરિ ( આ ચરિત્રના રચયિતા ) જે શ્રી દેવભદ્રગુરુને ઉધાન સમા આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ચરિત્રમાં તેમની પરંપરામાં આવેલા હોવાથી “પદરૂપી પુષ્પ,. અર્થરૂપી ફળ દ્વારા ભાગ લઈ રહ્યો છું એ રીતે મંગળાચરણ કરી ગ્રંથકર્તા આચાર્યશ્રી હવે આ ચરિત્રનો પ્રારંભ કરે છે. - પૂર્વ મહાવિદેહમાં શભા નગરીમાં નલિની ગુદમ નામને રાજા (પ્રભુને પ્રથમ ભવ) રાજ્ય કરતે હતું. તે મૃત્યુ પામી સાતમ દેવલેકે ( પ્રભુને બીજે ભવ) ગયો હતો, ત્યાંથી રવીને શ્રી જખ્ખદીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં શ્રી વિષ્ણુ રાજાની રાણીની કુક્ષિમાં પુત્ર ઉત્પન્ન થયા ને શ્રી શ્રેયાંસનાથ ભગવાન ( પ્રભુને ત્રીજે ભવ) તેના મૃતરૂપી મહાસાગરમાં વર્ણવાયેલ ત્રણ ભવે હું કહું છું, , , (ચરિત્ર પ્રારંભ) પુષ્કરદીપ નામના દ્વીપને માનુષેત્તર . પર્વતે અડધામાં મનુષ્ય અને અડધામાં પશુઓને જાણે વહેંચી ને આ હેય તેમ તે દીપમાં પર્વત ઉપર સિદ્ધયતંનેની શ્રેણી શોભી રહેલ છે. તે દ્વીપનાં પૂર્વાધમાં આવેલા પૂર્વ મહાવિદેહમાં રમણીય નામની વિજયમાં શુભા નામની નગરીમાં ભુવનભાનું નામને રાજવી છે. જેની છાતી ઉપર લક્ષ્મીએ, બાહુને વિષે પૃથ્વીએ, મુખમાં ચંદ્ર, બુદ્ધિમાં બહસ્પતિએ સ્થાન લીધું હોય તેમ શોભી રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy