SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવીએ કમલાને કરેલ સહાય. [ ૨૫ ] દાસી ન હોવાથી કમલાએ તેના હસ્તેથી જ સવણના પપોદ્વારા પોતાને અંબેડો બંધાર્થે. તે જોઇને દાસીએ તે હકીકત રાજાને જણાવવાથી રાજાએ એકાન્તમાં વિચાર્યું કે-“વિજય રાણીનું વચન સત્ય નીવડતું જાય છે.” આ પ્રમાણે વિચારીને કોધથી અંધ બનેલા રાજાએ મલાને અડો અને મનોરમના બંને હસ્તો કપાવી નાખ્યા. રાજ કાને મિત્ર થા છે? પોતાનો અંબોડો છેદાયેલો જોઈને તેમજ પોતાના લઘુ બંધુના બંને હસ્તે કપાયાના. સમાચાર સાંભળીને કમલા મરછ પામી, અને કેટલાંક શીપચાર કર્યો અદ સચેતન બની, , અશ્રયુકત લોચનવાળી અને નિ:શ્વાસ નાખતી તેણી વિચારવા લાગી કે-“પૂર્વે મેં પાપ કર્યું હશે, જેથી મને આવા પ્રકારની વિડંબના પ્રાપ્ત થઈ. પિતા તથા ભાઈને દુઃખદાયક છે આ કુળમાં કયાંથી જન્મી? પાપના મંદિરરૂપ એવી મને ધિક્કાર હો ! મેં સર્વજ્ઞપ્રણીત જિન ધર્મ અને નિર્મળ એવું મારું કુળ કલંકિત. કર્યું, તેથી મારી પવિત્રતા સાબિત થયા. સિવાય હું ભજન કરીશ નહીં.” બાદ સર્વજ્ઞ પરમાત્માનું પૂજન કરીને, શાસનદેવીનું ધ્યાન ધરીને; પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી તેણી કાઉસગ્ગ ધ્યાનમાં ઊભી રહી. સાતમે ઉપવાસે શાસનદેવીએ પ્રસન્ન થઈને પ્રત્યક્ષ કહ્યું કે-“હે પુત્રી ! તારું જે ઈચ્છિત હેય તે માગી લે.” કમલાએ કહ્યું કે-“હે માતા! જિનશાસંનની ઉન્નતિ, મારા ભાઈને બને હાથેની પ્રાપ્તિ અને મારા પરના કલંકની શુદ્ધિ કર.” એટલે “ હું તે સર્વ કરીશ” એમ જણાવીને શાસનદેવી અંતર્ધાન થયા અને કમલા સન્તોષ પામી. , - હવે સવારે જાગેલે રાજા પોતાના બંને નેત્ર દ્વારા કંઈ પણ જોઈ શકવાને અસમર્થ બન્યું એટલે તેણે જણાવ્યું કે “આ જગતમાં કંઈ પણ હું જોઈ શકતું નથી. એકત્ર બનેલા રાજવગ પણ અતિ દુઃખી થયો. ચારે દિશાઓથી વૈદ્યો, જ્યોતિષીઓ અને મંત્રવાદીઓ લાવવામાં આવ્યા, પરંતુ ઔષધથી, ગ્રહપૂજાથી કે મ ત્રોરચારથી કંઈ પણ લાભ ન થયો. એવામાં આકાશવાણી થઈ કે-“ મન, વચન તેમજ કાયાથી પવિત્ર અને જગતના કલ્યાણની ઈચ્છક કેઈપણ તારી રાણીના સ્નાનજળથી ધાવાએલ તારા બંને નેત્રે પુનઃ જઈ શકશે અને મને રમના બંને હતે પણ નવા થઈ જશે.” વિજયા રાણીના સ્નાન જલથી રાજાના બંને નેત્રો છેવાથી ઉલટી રાજાને વિશેષ પીડા થવાથી તેણે વિચાર્યું કે-“વિજયા સદાચારી જણાતી નથી. ” આ પ્રમાણે સર્વ રાણીઓની પરીક્ષા લેવાથી તે સર્વનું દુરાચારીપણું સાબિત થયું. રાજા પણ નિરાશ બની ગળે એટલે પ્રધાનેએ તેને કહ્યું કે-“હે નાથ! હજી સુધી કમલા રાણીનું નાનજલ લાવવામાં આવ્યું નથી.” રાજાએ જણાવ્યું કે-“ તને બધા મૌન રહે. પૂર્વે તેનું શીલ કલંકિત જણાયું છે.” પ્રધાને કહ્યું કે* સ્વામિન! આપ આમ ન બોલો.” એટલે પીડા પામેલા રાજાએ કહ્યું કે“ તો તેણીનું સ્નાનજલ પણ લાવે.” મહાસતી કમલા જે વખતે સ્નાન કરવા બેઠી તે વખતે તેને અંગે પૂર્વ કરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy