SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૨૧૬] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે. ધન્યવાદ શા માટે આપે?” તેણે જણાવ્યું કે ” તે પિતાની સ્ત્રી સાથે શય્યા સરખા આ કિનારા ઉપર કીડા કરે છે અને પોતાની પત્નીએ અર્ધા ખાધેલા બીસતંતુ( કમળનાળના તંતુ)ઓને હર્ષિત બનીને વેચ્છાપૂર્વક ખાઈ રહ્યો છે. વળી પિતાની વાણીથી પ્રિયાને હર્ષ પમાડે છે અને તેની પાછળ પાછળ ફરે છે. એટલે વસુમિત્રે તેને પૂછયું કે-“શું તું પ્રિયાને મળવાને ઉકંઠિત બન્યા છો ?” સમુદ્રદત્ત હા પાડવાથી વસુમિત્રે હાસ્ય કરતાં તેને કહ્યું કે “સમુદ્રની સફર કરવા માટે તારી ઈચ્છા જણાતી નથી; કારણ કે યુદ્ધથી ભ્રષ્ટ બનેલા હરણની માફક તું જઈને પણ તરત પાછા ફરવાની ઉત્કંઠાવાળો છો તે હું તેવી સાગર યાત્રાને ત્યાગ કરું છું. પૂવે શંખત્ત નામના વણિકપુત્રને વહાણની મુસાફરીએ મોકલવામાં આવ્યો હતે તેમ આપણે પણ અન્ય કોઈ વ્યક્તિને મોકલીએ અને આપણે બંને સ્વેચ્છાપૂર્વક ઉદ્યાનની માફક નગરની શેરીઓમાં પરિભ્રમણ કરીએ.” સમુદ્રદત્તે જણાવ્યું કે“ પરિભ્રમણ કરવાથી તે હું કાયર છું.” વસુમિત્રે પુનઃ પૂછયું કે-“હે મિત્ર! તે બીજુ કંઈ કારણ હોય તે જણાવ.” ત્યારે સમુદ્રદાસે કહ્યું કે “તું સાવધાન થઈને સાંભળ.” આ “પિતાની આજ્ઞાનું ઉલંઘન નહીં કરતાં, માતાને પ્રણામ કરીને હું ચાલી નીકળ્યો છું. હરિણ જેવા નેત્રવાળી મારી પત્નીને મેં બેલાવી પણ નથી.” વસુમિત્રે પૂછ્યું કે-“શા માટે તેણીને લાવી નહીં?” સમુદ્રદરો કહ્યું કે-“તે રજસ્વલા હોવાથી માતાએ મને તેના દર્શનની મનાઈ કરી હતી, કારણ કે પ્રયાણ સમયે તેણીનું દર્શન અમંગળકારક બને. એટલે તેને વારંવાર યાદ કરીને પશ્ચાત્તાપ દ્વારા નિઃશ્વાસરૂપી અગ્નિજવાળાથી બળી રહ્યો છું. કૃતની એવા મેં અશ્ર સરતી તેમજ હરિણાક્ષી તેણીને પ્રયાણ માટે પૂછયું પણ નહીં તેમજ તેણીને આશ્વાસન પણ આપ્યું નહિ.” વસુમિત્રે પૂછ્યું કે “તેણી તારી નજરે કેમ ન આવી?” સમુદ્રદત્તે કહ્યું કે “તેણી મારી નજરે તે પછી પણ વડીલોની હાજરીમાં હું તેને બેલાવી શકે નહિં. અશુ સારતી તેણીએ મને પ્રયાણ કરવા માટે મના કરી અને તેણીએ મારા પર છેડેલા કટાક્ષરૂપી બાણ મારા હૃદયને અધિક રીતે દુઃખ દઈ રહ્યા છે. તેણને મારા માટે કંઈક શંકા છે, એમ મને વહેમ છે. તે અબલા હોવાથી કરુણાપાત્ર છે. વળી તે રજસ્વલા હોવાથી મને તેના પ્રત્યે રાગ થયો છે અને તેને હું આલિંગન ન આપી શકયો તેથી મને દુઃખ થાય છે. ક્રોધે ભરોલા પ્રસન્ન મુખવાળી, પ્રથમ પ્રાપ્ત થયેલી, વિયોગની અને રજસ્વલા સ્ત્રી અત્યન્ત કામવિહુવલ હોય છે, તે તેણીના દેહ-સૌન્દર્યને વારંવાર યાદ કરીને મારું મન કામવિકારનો ત્યાગ કરવા સમર્થ બનતું નથી. આ સંબંધમાં વિશેષ શું કહેવું ? - સમુદ્રદત્તને અતિ કામાતુર જાણીને વસુમિત્રે તેને કહ્યું કે-“માતાની રજા લઈને નદયતીને હું અહીં લઈ આવું અને તારી કામેચ્છા તૃપ્ત થયા બાદ હું તેને પાછી ઘરે પહોંચાડી ઇશ.” સકતે જવાબ આપે કે-“ તે કાર્ય તે શરમજનક છે. આપણે તો રાસ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy