SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૯ મે. ,, એવા મારા સ્વરૂપને તું જાણતા નથી તેમજ તું મારું કથન સ્વીકારતા નથી ! ” ત્યારે હસીને શ્રીદત્તે કહ્યુ` કે– રાક્ષસેાને પણ ભય પમાડે તેવી વ્યક્તિઓને તુ' જાણતી નથી. ’ એટલે તે સ્ત્રીએ ભયંકર રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરીને અટ્ટહાસ્યાદિક કર્યું" ત્યારે પાતાની ભયંકર ભૃકુટી ચઢાવતા શ્રીદત્ત તેને કેશથી પકડીને ખડૂગથી હણવા માટે ઉદ્યુક્ત થયે. એટલે પેાતાની દશે આંગળીએ મુખમાં નાંખીને તેણી શ્રીદત્તને વિનવવા લાગો કે- હે દયાળુ મહાપુરુષ ! મારા આ એક અપરાધને માફ કર.’’ શ્રીદો તેને છેાડી દીધી ત્યારે તે બ્ય તરીએ, તેને પૂછ્યુ` કે “ હુ તારું શું પ્રિય કરું ? '' એટલે તેણે તેણીને જણાવ્યુ` કે “ તું પાપ કાર્યાંથી અટકી તે જ ખરેખર મારા માટે પ્રિય બન્યું છે. '' તેણીએ કહ્યુ કે “ હે વીર પુરુષ ! ઝેરને દૂર કરનાર આ વીટી તું ગ્રહણ કર.” એ પ્રમાણે કહીને તેને વીંટી આપીને તેણી અન્તર્ધાન થઇ ગઈ. બાદ સૂઇને ઊઠેલા નિષ્ઠુરની સાથે પ્રાતઃકાળમાં શ્રીદત્ત ચાલ્યા અને માર્ગમાં તે સ્ત્રીને યાદ કરીને નિષ્ઠુરે શ્રીદત્તને પૂછ્યું કે “ તે સ્ત્રી કયાં ગઇ ? ” એટલે શ્રીરો તેણી સંબ’ધી સમસ્ત વૃત્તાન્ત તેને જણાવ્યે ત્યારે તે આશ્ચય' પામ્યા અને મનમાં વિચાયુ` કે—“આ કેઈ સામાન્ય વ્યક્તિ નથી, પરન્તુ દેવાને પણ માનનીય છે.” કાળક્રમે તે બંને હર્ષાવતી નગરીએ આવી પહોંચ્યા અને દેવમદિરમાંથી નીકળતા તેમજ હષ' વિનાના પેાતાના બધા મિત્રાને શ્રીદત્તે જોયા એટલે શ્રીદત્તના નેત્રામાંથી વહેતા આનંદાશ્રુની સાથેસાથ તે મિત્રા પણુ તેના ચરણમાં નમી પડયા અને જાણે મૂર્તિમાન આનદથી આલિંગન અપાયા હોય તેમ તે સવ રામાંચિત બન્યાં, શ્રીદત્તદ્વારા સમસ્ત વૃત્તાંત જાણીને તેઓ ખેલ્યા કે-“ ખરેખર, તમારી શકિત, પુણ્ય સંપત્તિ અને પ્રભાવ અદ્ભુત છે, અમે સમસ્ત વિશ્વને વિષે કૃતાર્થ બન્યા છીએ; કારણ કે અદ્ભુત આશ્ર્ચયરૂપી લક્ષ્મીના આવાસભૂત તમે અમારા સ્વામી છે. શ્રીદત્ત ના આગમનથી મિત્રાને હ પ્રગટવાને કારણે તે હંવતી નગરી પણ ખરેખર સાથ ક નામવાળી ને પરાક્રમી બની. શ્રીદત્ત મિત્રની સાથે ખાડુશાલિને ઘરે જઈને, તેના માતાપતાને નમસ્કાર કરીને સ્વસ્થ ચિત્તે ત્યાં રહેવા લાગ્યા. એકદા તે સાઁ મિત્રા વસંત ઋતુમાં નગરના બહારના ઉદ્યાનમાં ગયા અને ત્યાં હર્ષોંપૂવક અનેક પ્રકારની ક્રીડા કરવા લાગ્યા. તે ઉદ્યાનમાં ચામર તેમજ છત્રને ધારણ કરતી સેવિકાઓથી પરિવરેલ, પુષ્પ વીષ્ણુતી, ઉત્તમ વસ્ત્રો તથા અલંકારાને ધારણ કરતી, નવ યૌવનવાળી તેમજ પેાતાના શરીર પર કરેલ વિલેપનની ગ’ધને કારણે ભ્રમરસમૂહને આકર્ષતી કાઈએક કન્યાને તેઓએ જોઇ. યુવાન પુરુષોના ચિત્તને માહ પમાડનારી આ કન્યાને અંગે કામદેવ પેાતાની જાતને વિશ્વવિજેતા માની રહેલ છે. તે કન્યાના ચિત્તને હરણ કરતાં શ્રીદત્તને પણ કામદેવે પેાતાના પાંચ પ્રકારના માણેાથી એકીસાથે નિબિડપણે હૃદયને વિષે વીધ્યા. ફ્રામ-વરને કારણે તે કન્યાને બગાસા આવવા લાગ્યા, નેત્રા કપવા લાગ્યા, શરીર રામાંચિત અન્ય, પસોનેા થવા લાગ્યા તેમજ અ ંગભંગ થવા લાગ્યા. નીવીબંધન ( નાડી ) ઢીલુ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy