SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જયસિંહે કહેલ શ્રી શ્રેયાંસકુમારનું વૃત્તાંત [ ૧૫૯ ] રાણીએ પેાતાના ભાઇને। સકાર કર્યાં અને સખીઓથી પરિવરેલ શ્રીકાન્તાને પણ તેણે જોઈ તેમજ વાત્સલ્યભાવથી તેણીને પેાતાના ખેાળામાં બેસાડી. ષિત ખનેલી આનશ્રીએ ભાઇને પિતાના તથા સ્વજનવના કુશળ સમાચાર પૂછ્યા એટલે તેણે પણ સારા સમાચાર જણાવીને તેણીને ખુશ કરી. જયસિંહે બેનને એ કુંડલા ભેટ કર્યા, તેમાં શ્રી શ્રેયાંસનાથનુ નામ કતરેલું જોઈ ને આનદશ્રીએ ભાઇને પૂછ્યું કે- આ કોનું નામ છે ? ’’ તેટલામાં તે શ્રીકાંતાએ તે બ ંને કુંડલા પેાતાના કણ માં પહેરી લીધા. જયસિંહે હસીને કહ્યું કે- બહેન ! આવે પ્રશ્ન કેમ કરે છે ? પેાતાના અસાધારણ પ્રકાશથી ત્રણે જગતને પ્રકાશિત કરતાં સૂર્યને માટે કાણુ પૃચ્છા કરે ? અથવા તા.હું મડેન ! તેં જે પ્રશ્ન કર્યાં છે તે વાસ્તવિક છે, કારણ કે રાજરાણીએ સૂર્યનું દર્શન નહીં પામનારી કહેવાયેલી છે. હે બહેન ! વધારે શું કહું ? જેણે આ કુમારને નરે નીહાળેલ નથી તે જન્માંધ છે અથવા નિષ્ફળ લાચનવાળા છે. હે બહેન ! વળી કુમારના વૃત્તાન્ત જેઓએ આજસુધી સાંભળેલ નથી તેએ માતાના ગર્ભમાં રહેલા છે અથવા તે કશું રહિત છે. જેએની જિહવાએ તેમના ગુણુની સ્તુતિ કરેલ નથી તે વ્યક્તિ મૂક જનેથી લેશમાત્ર ચઢિયાતી નથી; તે હે બહેન ! હવે તું તે કુમારનું અમૃત સરખુ ચરિત્ર બંને કણુ દ્વારા સાંભળ કે જેથી તારા ખ'ને કહ્યું અને મારી જિહ્વા સાક ખરે’’ ત્યારે ઉત્કંડિત, આશ્ચય મુગ્ધ અને હુ પામેલ આનંદશ્રીએ જયસિંહને કહ્યું કે “તું જલ્દી તે વૃત્તાંત જણાવ.” મામાના વાર્તાલાપથી અત્યંત કુતુહલ પામેલી શ્રીકાંતા પણ તે ચરિત્ર સાંભળવાને સાવધાન બની. પછી જય×િહે તે બનેની સમક્ષ જન્મથી માંડીને શ્રી શ્રેયાંસકુમારનું ચરિત્ર જેવું હતું તેવું કહેવું શરૂ કયું*. ચરિત્ર શ્રવણ કર્યા બાદ શ્રેયાંસની પ્રશંસા કરીને આનંદશ્રીએ જયસિહુને પૂછ્યુ કે “ આ કુંડલ-યુગલ તને કઈ રીતે પ્રાપ્ત થયા ?” જયસિંહે જણાવ્યુ` કે –“એક દિવસે પિતા કુડિનપુરમાં રાજસભામાં બેઠા હતા અને હું તેમના ચરણકમળમાં ભ્રમર સમાન મનીને બેઠા હતા તેવામાં આપણા નગરમાં રહેનાર દાનશૂર શ્રેષ્ઠીના આમ્રકુમાર નામના પુત્ર, પ્રતિહારીદ્વારા નિવેદન કરાવીને રાજસભામાં માન્યેા. સભામાં પ્રવેશ કરીને, પિતાની સન્મુખ રત્નથી ભરેલ પાત્ર મૂકીને, પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠા. તે કિંમતી અને મનુષ્યલેાકમાં પ્રાપ્ત ન થઇ શકે તેવા રત્નાને એઇને પિત એ પૂછ્યું' કે આ રત્ના તને કયાંથી મળ્યા ? દ્રવ્યેાપાન માટે ગયેલા તને આ કચે સ્થળેથી પ્રાપ્ત થયા ? અને અહીંથી ગયા બાદ આટલા સમય તે' કયાં વ્યતીત કર્યા ?” આમ્રકુમારે જણાવ્યું કે-“હું સિંહપુર નગરે ગયા હતા, જયાં મહાબલીષ્ઠ વિષ્ણુ નામના રાજા છે. હું જે દિવસે સિંહપુર નગરે ગયા હતા તે દિવસે વિષ્ણુ રાજાને ત્યાં પુત્રજન્મ થયે હતા. વળી તે કુમારના જન્માત્સવ પ્રસ ંગે સુરાસુરાએ મેરુપર્યંત પર તેમના જન્મે।ત્સવ કર્યાં હતા. આ જન્મોત્સવ પ્રસ`ગે દેવેએ સમસ્ત નગરમાં રત્ન તથા સુવર્ણની વૃષ્ટિ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy