SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સ – છ ડ્રો પોતાના પુત્ર હરિવિકમદ્વારા નલિનીમ કુમારનું વ્રત સાંભળીને હર્ષ પામેલ જયસિંહ રા જ એ પિતે જ કુમારનો સત્કાર કર્યો, અને કહ્યું કે-“ આ સમસ્ત રાજલ૧મી તમારી જ છે.” કુમાર પણ હરિવિક્રમની સાથે તે સ્થળે ર છાપૂર્વક કીડા કરવા લાગ્યા. હમેશાં નવા નવા મનહર સ્થાનને સ્વેચ્છાપૂર્વક જતો કુમાર એકદા લોકોની સાથે વૈતાઢય પર્વત પર રહેલ કાંચનપુર નામના નગરના ઉદ્યાનમાં આવીને જેવામાં અશોક વૃક્ષની નીચે બેઠે તેવામાં નગરમાં કોલાહલ પ્રગટી નીકળ્યો એટલે કુમારે હરિવિકમને પૂછયું કે “આ કેલાહલનો દવનિ કયાંથી આવે છે ? ” ત્યારે સમાચાર પ્રાપ્ત કરીને હરિવિકમે કુમારને જણાવ્યું કે- “ આજે રાત્રિએ આ નગરનો વિદ્યાધર રાજા પિતાની પ્રિયાનો વેણીદંડ બાંધતા તેમાં રહેલ અતિલઘુ રુપે તેને ડંસ મારવાથી તેમજ તે મૃત્યુ પામવાથી પોતાને અનાથ માનતી પ્રજાએ, વિદ્યાધર રાજા અપુત્ર હોવાથી, પંચ દિવ્ય કરેલ છે. ” હરિવિક્રમ હજી આ પ્રમાણે કુમારને કહી રહ્યો છે તેવામાં તે દિવ્ય કુમારની નજીક આવી પહોંચ્યા. ગજારવ કરતાં હસ્તિએ અભિષેક કરીને કુમારને પિતાના સકંધ પર બેસાર્યો, અષે હેકારવ કર્યો, આકાશમાં ચામરો વીંઝાવા લાગ્યા, છત્ર તેના મસ્તક પર સ્થિર થયું અને આકાશપટમાં દિવ્યદુંદુભી વાગવા લાગી. દેવે કરેલ પુષ્પવૃષ્ટિ આકાશ પ્રદેશમાંથી નીચે પડી, તેમજ મંત્રીઓ, વિદ્યાધરો અને વિદ્યાધરીઓથી કરાયેલ વિશાળ મંગલિકવાળો નલિની ગુમકુમાર રાજમહેલે આવી પહોંચ્યો અને વિદ્યાધરેદ્ર બન્યો. આ બાજુ શ્રી તિલકપુરમાં શ્રીચંદ્ર વિદ્યાધર રાજા પુત્રીને વર સંબંધી ચિંતા કરવા લાગે ત્યારે શશિકભાએ પિતાની સખી દ્વારા કહેવરાવ્યું કે “જે કઈ રાધાવેધ કરશે તે મારે સ્વામી થશે અથવા તે હું અગ્નિનું શરણ સ્વીકારીશ.” આ પ્રમાણે સાંભળીને રાજા વ્યાકુળ બને ત્યારે મંત્રીઓએ શ્રીચંદ્ર રાજાને કહ્યું કે “જે કોઈ રાધાવેધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy