SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો કરીને પેાતાના સ્થાનમાં આવી પહેાંચેલા તેણે ગૃહચત્યની પૂજા કરી. ખાદ સાથે આવેલા વિદ્યાધરાના આવાસમાં વખાણવા લાયક ઉચિત વસ્તુઓ-પદાર્થો મેકલી આપ્યા. ભુવનભાનુ રાજાની સેવા કરવાને ચાહતા રાજાએ ભેટણાં લઇને પોતપેાતાની નગરીથી તે શુભા નગરીએ આવી પહેાંચ્યા, એટલે કેટલાક દિવસે પર્યન્ત તે આવેલા ખેચરે દ્રો અને રાજાઓના ઉચિત સત્કાર કરીને વિદાય કર્યાં. સુમુદ્ધિ મંત્રીશ્વર પર રાજ્યના ભાર નાખીને, ભાનુશ્રી સાથે ક્રીડાસક્ત ચક્રીના દિવસે પસાર થવા લાગ્યા. કેાઇ એક દિવસે જલકીડાને માટે રાજવી, ભાનુશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ સાથે પ્રમદવનમાં ગયા. તે ક્રીડા-વનમાં પોતાની ભાષામાં ખેલતા રાજહુંસના સુગલને, પક્ષીની ભાષા જાણવામાં કુશળ ભુવનભાનુ રાજવીએ લાંબા સમય સુધી સાંભળ્યા કર્યું". તે હંસયુગલ વાર્તાલાપ કરતું બંધ પડયુ ત્યારે ભાનુશ્રીએ ચક્રીને પુછ્યુ કે “ યુગલે આટલા લાંબા સમય સુધી કયા પ્રકારનેા વાર્તાલાપ કર્યો ? તે મને જણાવે. ' ભુવનભાનુએ જણુાવ્યું કે-“ તે હકીકત જાણુવાથી તને શે લાભ છે ? તે હકીકત જાણુવાર્થ ઊલટુ' તુ દુઃખી બનીશ” રાજવીએ આ પ્રમાણે જણાવવાથી અત્યંત ઉત્સુકતાવાળી ભાનુશ્ર ખેલી કે- તેમાં શું અમંગળ થવાનુ` હતુ` ? હે નાથ ! એવુ' તે શુ` છે કે જે આ મને કહી શકતા નથી ? મગળમાં કે અમંગળમાં મને કોઈ પણ પ્રકારના ભય નથી. પૂર્વે જે કમ કર્યા' હાય છે તે પ્રમાણે, રક્ષા કરવા છતાં પણુ, બને જ છે. કાઇ પણ કારણને લીધે તમે કહેવા ઇચ્છતા ન હેા તે હે સ્વામિન્ ! મને જણાય છે કે આજથી આપણા બંનેના હૃદર જુદા પડ્યા જણાય છે. અત્યાર સુધી મારે એવા ખ્યાલ હતા કે આપણા બંનેનુ ચિત્ત મન એક જ છે, પરંતુ અત્યારે આપનુ' વતન તે મારા મતવ્યને નષ્ટ કરે છે, જે ભ્રમરતુ' મન બીજા માલતીના ફૂલ પર ગયું હોય તે પેાતાને આધીન બનેલા ફૂલ પર કયાં સુધી સ્થિર રહી શકે ?'’ આ પ્રમાણે સ્નેહ અંગે ગુસ્સે બનેલી ભાનુશ્રીને ગાઢ આલિંગન આપીને રાજાએ તેણીને કહ્યું કે- હે દેવી ! મારા પ્રત્યે તમે કદાપિ ગુસ્સે ન થશેા. હે સુંર મુખવાળી ! ઘણા પ્રકારના વિકલ્પો કરવા ઘટતા નથી. શુ... પેાતાનું પ્રતિબિંબ દી ઉલટુ બને છે ? જો હું તને તે વૃત્તાંત જણાવીશ તેા તને તે વસ્તુની ઇચ્છા થશે અને જો હુ' તે પદાર્થ તને નહીં લાવી આપીશ તે તને સંતાપ થશે, તેથી હું માનિનિ ! હું તને તે હકીકત જણાવતા નથી, છતાં પણ જો તારા અત્યંત આગ્રહ હાય તે। તું સાંભળ. રાજહુંસી પેાતાના સ્વામી પ્રત્યે પ્રણયને કારણે ક્રોધિત બનેલી હતી. હ ંસે પ્રણય રસભરપૂર મીષ્ટ વાણીથી હ’સીને જણાવ્યુ` કે-“હે પ્રિયા ! આજે તું શા માટે ઉત્સાહ વિનાની જણાય છે ?” તેણીએ તેને જણુાવ્યું કે સ્નેહ વગરના તમને કહેવાથી શે। લાભ છે ? શરમ વિનાની અને પાપી એવી હું હજી સુધી જીવી રહી છું ? અથવા તે વાસ્તવિક રીતે હું મૃત્યુ પામેલી જ છું, કારણ કે સ્વામીથી અપમાનિત થવાથી જીવવુ એ મૃત્યુ સરખુ' જ છે. પૂ મેં જે તમને કહ્યું હતું તે પ્રમાણે કરા, જેથી મને સુખ આપનાર પુત્રની પ્રાપ્તિ થાય. માશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy