SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જો * : જણાવ્યુ` કે- “ હે મિત્ર ! તું મને મારા રનો પાછા આપ. ’” ત્યારે પ્રભાકરે જણાવ્યું કેતું કાણુ છે ? કયા રાની વાત કરે છે ? તારું વચન કોઇ પણ સત્ય માનશે નહીં. તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. ’’સત્યકીએ પુનઃ કહ્યુ કે - “ મિત્ર ! લાભથી અંધ બનીને તું આ શુ' ખેલી રહ્યો છે ? દુઃખમાં આવી પડેલા મને તારે તારા દ્રવ્યથી સહાય આપવી તે દૂર રહી, પરન્તુ મારાં રત્નો પણ તું મને આપતો નથી એટલે ખરેખર તું મને પડયા' પર પાટુ મારી રહ્યો છે, જો તું સ્નેહપૂર્વક મારા રત્નો પાછાં આપતા હોય તે આપ, નહિંતર કોઇપણ પ્રકારે તે રત્ના હું તારી પાસેથી અવશ્ર્વ લઇશ. પેાતાની લક્ષ્મીમાં પણ આસક્તિ રાખવી ઉચિત નથી કારણ કે વારાંગનાની માફક લક્ષ્મી પણ ચંચળ છે. ભલે તું તારું' મસ્તક મુંડિત કરાવે પરન્તુ પારકુ દ્રવ્ય મુખમાં મૂકવા પૂરતું જ મધુર જણાય છે. મને તુ`અસમર્થ સમજીશ નહિ. જો તારી બુદ્ધિ પારકાનું ધન પડાવી લેવાની છે તે શું હું મારા પોતાના રત્નાની પ્રાપ્તિમાં અનાદર કરુ? અર્થાત્ હું કોઈપણ પ્રકારે મારા પત્ને પાછા મેળવીશ.” આ પ્રમાણે ઘણા પ્રકારે ખેલતાં સત્યકીને પ્રભાકરે ગળે પકડીને પેાતાના ઘરમાંથી બહુ ર કાઢી મૂકયા. દુઃખી અનેલાં સત્યકીએ વિચાયું કે હું શા માટે હવે જીવી રહ્યો છું? અત્યારે હું આવા પ્રકારના દુઃખના ભાજનરૂપ બન્યા છું, અગ્નિમાં ઝ ંપાપાત કરવો સારો, પરન્તુ દુજનની સાખત કરવી સારી નિહું કે જે વિશ્વાસુ બનેલા સજજનના ચિત્તને ઉદાસીન સ્નેહ રહિત બનાવે છે. ખડ્ગને પ્રહાર સહન કરવા સારા, કાતીલ ઝેર ખાવું સારૂં અથવા તે વનવાસ સરા પરંતુ નીચે જનેાની સેાબત સારી નહી. પ્રભાકરે મારા જે પરાભવ કર્યા તેને શું ભૂલી જઇશ? તેના પેટમાં રહેલુ` મારે તેની નાસિકા દ્વારા વર્મન કરાવવું પડશે. '' આ પ્રમાણે વિચારીને પોતાના ધરે આવેલા તેણે લે! ને જણાળ્યુ કે-પ્રભાકર પુરાહિત મને છેતર્યો છે . એકદા સુબુધ્ધિ મંત્રીને તેણે જોયા એટલે તેની સમક્ષ પુષ્પાની ભેટ ધરીને નમસ્કાર કરીને સત્યકીએ કહ્યું કે-‘ હું અનાથ બન્યા છું, મારા કોઈ રક્ષણકર્તા નથી. રક્ષક જ જ્યારે ભક્ષકા બન્યા છે ત્યારે હું કેાની પાસે જઇને પાકાર કરુ? એટલે મંત્રીએ તેને જણાયુ` કે-‘તું મારા ઘરે આવજે, તું ખેદ ન પામ.” પછી મંત્રીએ પેતાની સાથે રહેલ પ્રતી-હારીને કહ્યું કે-‘જ્યારે આ વ્યક્તિ આપણા આવાસે આવે ત્યારે શીઘ્ર તેમને મારી પાસે લાવવા’ આ પ્રમાણે કહીને મંત્રી પેાતાના આવાસે ગયા અને સત્યકી પણ પેાતાને ધરે ગયા. “સત્યકીએ વિચાયું કે-‘તિરસ્કારરૂપી અગ્નિથી દગ્ધ અનેેલ મારા અવયયેાને આમંત્રીએ શીતળ બનાવ્યા. આવા પ્રકારના પુરુષોથી જ પૃથ્વીતલને વિષે ધમ ને ધારણ કરવામાં આવે છે; નહીંતર આધાર રહિત બનેલ આ ધમ અવશ્ય પાતાલમાં પેસી જાત. ખીજે દિવસે પ્રાતઃ કાળે, હાથમાં ફૂલ લઇને સત્યકી મંત્રીના આવાસે ગયા એટલે દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યે ને મંગીએ.. આપેલા આસન પર બેઠો. માદ સત્યકીએ હકીકત ..જણાવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy