SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જો ગારમ'જરીએ હાસ્યપૂર્ણાંક કોઇએક દિવસે ભાનુશ્રીને કહ્યું કે- આ તારા સ્વામી ભુવનભાનુ રાજવી જ્યાતિષુ શાસ્ત્રના જાણકાર છે. આ હકીક્તની ખાત્રી મને ક્રીડાપર્યંત પર થએલ છે. તે સમયે આ ભુવનભાનુ રાજવી જ ત્યાં આવી ચઢ્યા હોય તેમ મને જણાય છે. તેમણે મને જણાવેલ કે-તમારી ઇષ્ટસિદ્ધિ અલ્પ સમયમાં થશે. આ રાજવી ખરેખર ડગારા જણાય છે. તારે આવી ઋદ્ધિસિદ્ધિથી ફૂલાઈ ન જવું, કારણ કે ઘણી પત્નીવાળા આ રાજવી તને અંતઃપુરમાં રાખીને ઠગશે. ” ત્યારે કાંઈક હાસ્ય કરતાં રાજાએ શૃંગારમંજરીને કહ્યું કે-“ ભાળી અને સરલ એવી ભાનુશ્રીને તું શા માટે કપટ-પ્રપંચ શિખવાડે છે? તુ ભલે તારા મનમાં આવે તે પ્રમાણે કહે પરન્તુ ભાનુશ્રી તેા કદાપિ મારા પ્રત્યે ક્રોધ કરવાની નથી જ. તે સમયે ભાનુશ્રીએ ભૃકુટી ચઢાવીને પોતાના સ્વામીને કમળથી તાડન કયું. આ પ્રમાણે જાણીને શગારમંજરીએ રાજાને જણાવ્યું કે-“ હે રાજન્ ! તમે આ પ્રમાણે અપરાધ કર્યા કરજો. ’’ વળી ભાનુશ્રીએ શંગારમાંજરીને જણાવ્યુ કે– પૃથ્વીપ્રિય ' એ પ્રમાણે ખેલતાં તારા હું કયા પ્રકારના ઉગ્ર દંડ કરું ? શું આ રાજાને મારા સિવાય બીજી કોઈ પત્ની છે ખરી ? હે વ્હેન ! તા તા તારે તેમને મહાનરેદ્ર તરીકે સબધવા જોઇએ. ” તે સમયે ભુવનભાનુ રાજાએ મસ્તક ધુણાવીને શૃંગારમજરીને જણાવ્યું કે તે અલ્પ સમયમાં જ ભાનુશ્રીને સારું શિક્ષણ આપી દીધુ'. આ કમળાંગી જેમ મારા દંડ કરવા ઇચ્છે છે તેમ તારો પણ કરશે. ’’ ત્યારે શ ંગારમજરીએ જણાવ્યુ` કે--તે બધે તમારા તેજના જ પ્રભાવ છે. પહેલાં મે તેણીને ઘણા પ્રકારે એલાવવા છતાં પણ જવાબ આપ્યા ન હતા. સૂર્યના પ્રભાવથી શુ' ઉષ્ણતા (ગરમી) દેદીપ્યમાન નથી થતી સ્નેહ વગર સ્ત્રીએ અભિમ ની બનતી નથી. આપ આ કામ-રહસ્યને સ્વતઃ વિચારી સુમજી લ્યો. તમારે તેણીના કાઈ પણ પ્રકારે અપરાધ કરવા નહી. ભાનુશ્રી તમારા વચન માત્રને પણ સહન કરી શકતી નથી તો તે તમારા અનેક પ્રકારના અપરાધેને કેવી રીતે સહન કરી શકશે ? ’’આ પ્રમાણે પેાતાની પત્ની ભાનુશ્રીનું હ ંમેશાં લાલન--પાલન કરતા રાજવી સમય પસાર કરતા હતા તેમજ તેની હાજરીમાં સ્વગને પણ તુચ્છ ગણતા હતા. એકદા રાજસભામાં બેઠેલા ભુવનભાનુ રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે- હું દેવ ! મકરકેતુ રાજાને કૃત રાજદ્વારે ઊભા છે. ’’ ત્યારે ભુવનભાનુએ પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી એટલે તેણે પ્રવેશ કરીને, દૂરથી જ રાજવીને પ્રણામ કર્યાં અને રાજાએ પણ તેને અત્યંત ક્રૂર ન બેસારતાં પાતાની નજીક એસાર્યા. ઉત્તમ પુરુષોએ કરેલુ' સન્માન માણસેાનુ માન વધારે છે. દેવથી અધિષ્ઠિત થયેલી પ્રતિમાને લાક પૂજે છે. નિ*ળ દૃષ્ટિથી નિહાળતાં રાજાએ તેને પૂછ્યુ કે મારા મિત્ર અને તારા સ્વામી મકરકેતુ રાજવી કુશળ છે ને ?’” તે જણાવ્યું કે- “ તમારા સંબંધથી તેમને અધિક કુશળતા છે. ઉતાવળે પ્રયાણું કરતાં મને આપને તેડી લાવવા માટે મેકલ્યો છે, ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy