SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧ લા ★ તુ” ખેદ ન કર.’’ એટલે શકુનની ગાંડ ખાંધીને શગારમજરી ખેલી કે-અમૃત જેવી શીતળ તમારી વાણીવડે મારા અગે ખરેખર શીત બન્યા છે અર્થાત્ મને ખરેખર શાંતિ થઈ છે. વળી પહેલેથી જ મારું ડાબુ નેત્ર કયું હતું. જો તમે મારી પ્રાર્થનાને ભંગ ન કરો તો હું તમને કાંઈક કહેવા માગું છું. આપ તક્ષણે જ (પ્રહાર) ઘાતને અટકાવનારું ઔષધરૂપી આ વલય( કડુ) ગ્રહણ કરે.” રાજાએ પણ તેની સૌજન્યતાને કારણે મહાપ્રભાવવાળું તે કડુ ગ્રહણ કર્યું . રાજાએ પૂછ્યું કે-મૃગ અનેલ તારા રવામી કયાં છે? ત્યારે તેણીએ હરણીએના સમૂહમાં રહેલા અને બેઠેલા તે મૃગને બતાવ્યેા. તે મૃગને જોઇને રાજા મનમાં વિચારવા લાગ્યા કે–વિચિત્ર ઘુઘરીએથી શોભતા આ મૃગ મને લલચાવવાને માટે જ ચન્ને પૂર્વ ખતાા હતા, તે જ જણાય છે. પછી રાજાએ શૃંગારમજીને પૂછ્યુ કે–તમે કયા પ્રકારના વિનેદથી તમારે સમય પસાર કરી છે ? એટલે તેણીએ જણાવ્યુ` કે–વીણાના ધ્વનિ યુક્ત સુ ંદર સગીતથી સમય પસાર કરું છું, જે મૃગને અત્યંત પ્રિય છે. પછી રાજા ખેલ્યા કે-૬નું ફળ મહાબળવાન છે, જેણે વિદ્યાધર જેવાને પણ પોતાનું રમકડું બનાવ્યું-પશુ બનાવ્યેા. ખાદ સ્નેહને લીધે સૂર્ય ભગવાન પશ્ચિમ દિશામાં અત્યંત ક્રૂર ગયે છતે અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યા ત્યારે સંધ્યાકમ કરેલ રાજા પણ, રાત્રિને વિષ ભાનુશ્રીને જોઇ રહ્યો હોય તેમ અત્યંત નિદ્રાળુ અન્યા બાદ શય્યામાં જઈને સૂતા. આ સગમાં ભુવનભાનુ રાજાનું અપહરણ, અને તેની સમક્ષ તાપસી, યક્ષ, વિદ્યાધરી શૃંગારમ જરીએ કહેલ કથા વ ́વવામાં આવી છે. શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ત્રણ ભવ પૈકી પ્રથમ ભવના વર્ણનરૂપ પહેલા સર્ગ સમાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy