________________
( ૭૪ ) ઇર્ષાના જોરથી અંજાઈ જ છે જે તું ગુણવંત જનેના થોડા પણ અવર્ણવાદ બાલીશ તે સંસારરૂપ મહાઅટીમાં તારે ભટકવું પડશે, અને ત્યાં બહુ પ્રકારે દુઃખને કડવો અનુ. ભવ કર પડશે, માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બોલવાથી પાછો વળજે. ) ૭
આ વર્તમાન ભવમાં જીવ જે ગુણનો કે દેષને અભ્યાસ કરે છે તે ગુણદોષને અભ્યાસવડે પરભવમાં ફરીને મેળવે છે. ૮ - જે પિતે સેંકડે ગમે ગુણથી ભરેલું હોય છતાં અદેખાઈ વડે પારકા દેષ જપે છે તે પંડિત પુની નજરમાં પલાલના ઢગલા જે અઢાર (હલકે) જણાય છે. ૯
જે દુષ્ટ આશયથી પરાયા છતા અને અછતા દેશને ગ્રહણ કરે છે તે પિતાના આત્માને નિરર્થક પાપબંધનથી બાંધે છે; અને ભવાંતરમાં પિતે જ વારંવાર દુઃખી થાય છે. ૧૦
તેટલા માટે જેથી કષાય-અગ્નિ પેદા થાય તે કાર્ય જરૂર તજી દેવું અને જેથી કષાય-અગ્નિ શાંત થાય તે જ કાર્ય આદરવું. પરનિંદા, ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવાનાં છે. ૧૧
જે તું ત્રિભુવનમાં ગુરુપણું મેળવવા ખરેખર ઈચ્છતો હોય તો પારકા દોષ ગ્રહણ કરવાની અથવા પરિનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે તું તજી દે એ જ મોટાઈને માર્ગ છે. ૧૨
જગતમાં સહુ કોઈને પ્રશંસવા ગ્ય આ ચાર પ્રકારના પુરુષો કહ્યા છેઃ ૧ સર્વોત્તમોત્તમ, ૨ઉત્તમોત્તમ, ૩ ઉત્તમ અને ચાથા મધ્યમ. ૧૩
એ ઉપરાંત ભારેકમ અને ધર્મવાસના હિત જે અધમ અને અધમાધમ પુ હોય તેમની પણ નિંદા તો ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com