SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ouncement opposite woron જેન કેમના સત્યહિતની ખાતર ખાસ નિર્માણ કરેલી સમાચિત બહુ અગત્યની સુચનાઓ . ooooooooooooooooooooo ૧. સુજ્ઞ ભાઈ-બહેન દરેક મંગળ પ્રસંગે વિદેશી ભ્રષ્ટ વસ્તુઓ વાપરવાથી આપણે કાયમ પરહેજ (દુર) રહેવું અને સ્વદેશી પવિત્ર વસ્તુઓને જ વિવેકથી ઉપયોગ કરવો-કરાવ. ૨. આપણું પવિત્ર તીર્થોની સેવા-રક્ષા અર્થે આપણાથી બને તેટલે સ્વાર્થ ત્યાગ કરે, આત્મભોગ આપવા તૈયારતત્પર રહેવું. ૩. કોઈ પણ જાતના કુવ્યસનથી સદંતર દૂર રહેવું અને આપણી આસપાસના સ્વજનાદિને એથી દૂર રહેવા પ્રીતિભરી પ્રેરણા કર્યા કરવી. ૪. શાક્તરસથી ભરેલી જિનપ્રતિમાને જિનેશ્વર તત્ય લેખી, આપણે પણ તેવા જ શાન્ત-અવિકારી થવા તેમની પૂજાઅદિક પ્રેમથી કરવા-કરાવવા બનતું લક્ષ રાખવું. ૫ આત્મશાંતિને આપનારી જિનવાણીને લાભ લેવા, પ્રતિદિન - થોડેઘણે વખત પ્રેમપૂર્વક પ્રમાદ રહિતપણે કાઢવા પ્રયત્ન સેવ, ૬. જૈન તરીકે આપણું કર્તવ્ય શું શું છે? તે સારી રીતે જાણીતે પ્રમાણે લક્ષ રાખીને આચરવા યથાશક્તિ ઉદ્યમ કર્યા કરો. ૭. શરીર નિરોગી હોય તે જ ધર્મસાધન રૂડી રીતે થઈ શકે માટે શરીર આરોગ્ય સાચવવા સહુએ પૂરતી સંભાળ રાખવી. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, પરસ્ત્રી તથા વેશ્યાગમન, માદક આહાર, કુપગ્ય સેવન અને કુદરત વિરુદ્ધ વર્તનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy