________________
| ( ૧૮ ) નવ વાડ રૂદ્ધ પેરે સાચવે, ધન શીળ તણું જગ જે રે; શી મહિમા પ્રભુ સૂરીશના, ભાવ તે સાધુરું નેહ રે. નવ૦ ૧૧.
૧૪ પરસ્ત્રી ત્યાગ કરવા વિષે સઝાય.
સુણ ચતુર સુજાણ ! પરનારીની પ્રીત કબુ નવિ કીજીએ. જેણે પરનારી શું પ્રીત કરી, તેને હઈડે રૂંધણ થાય ઘણું; તેણે કુલ મર્યાદા કાઈ ન ગણી. સુણ૦ ૧ તારી લાજ જશે નાત જાતમાં, તું તે હળવે પશિ સૌ સાથમાં; એ ધુમાડે ન આવે હાથમાં. સુણ ૨ હરે સાંજ પડે રવિ આથમે, તારે જીવ ભમરાની પેરે ભમે, તને ઘરને ધંધો કાંઈ ન ગમે. સુણ- ૩ તે જઈને મળીશ દૂતિને, તારું ધન લેશે સર્વ ધૂતીને; પછી રહીશ હઈડું ફૂટીને. સુણ- ૪ તું તે બેઠે મૂછ મરીને, તારું કાળજું ખાશે કરીને, તારું માંસ લેશે ઉઝરીને. સુણ ૫ તને પ્રેમના પ્યાલા પાઈને, તારાં વસ્ત્ર લેશે વાઈને, તને કરશે ખાખું ખાઈને, સુણ ૬ તું તે પરમંદિરમાં પેસીને, ત્યાં પારકી સેજમાં બેસીને, તે ભેગા કર્યા ઘન હસીને, સુણ ૭ જેમ ભુજગ થકી ડરતાં રહેવું, તેમ પરવારીને પરિહરવું; ભવસાગર ફેરા નવિ ફરવું. સુણ૦ ૮ વહાલા પરણી નારીથી પ્રીત સારી, એ માથું વહાવે પરનારી, તુમે નિશે જાણજે નિરધારી. સણ ૯ એ સદ્દગુરૂ કહે તે સાચું છે, તારી કાયાનું સર્વે કાચું છે; એક નામ પ્રભુનું જાણું છે, સુણ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com