SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ નિકમાં થિસલે ચન્દ્રસૂર્યગ્રહણ વિષે કહ્યું કે પૃથ્વીને પડછાયે એ બને ઉપર પડે છે; ગેલેલીઓએ કહ્યું “પૃથ્વી ફરે છે, બ્રુનેએ કહ્યું: સ્ત્રીપુરુષના રાજવીર્ય સંગથી જ સંતાન થઈ શકે,' કોપરનિકસે દૂરબીનની શોધ કરી. આ બધાને રિબાવ્યા મારી નાખ્યા. ૯. કેટલાક કરૂણું પ્રધાન વૈજ્ઞાનિકો થયા, દા. ત. જેનેરે શીતલાની રસીની શોધ કરી; પિચરે કોલેરા નિવારણ માટે રસ્સીની શોધ કરી, મેડમ કયૂરીએ રેડિયમની શોધ કરી. મનોવિજ્ઞાનિકમાં ફેઈડ, અલ્ડર વ. થયા. ભૌતિક વિદ્યા, યંત્રવિદ્યા, અને કૃષિશાસ્ત્રમાં મોટું સંશોધન થયું. વનસ્પતિશાસ્ત્રમાં પણ મોટું સંશોધન થયું છે, એટલે આજે એ વૈજ્ઞાનિકે ધરતીના દોષ નિવારીને અક્ષયપાત્ર બનાવી શકે, જેથી વિજ્ઞાનથી માનવસંહારને બદલે માનવ હિત થાય અને માંસાહાર અટકી શકે. તા. ૧૭-૧૧-૬૧ સર્વાગી ક્રાંતિમાં મ. ગાંધીજીને ફાળે ૧. મ. ગાંધીજીએ માનવજીવનના બધા ક્ષેત્રમાં સંગઠન દ્વારા ક્રાંતિ કરી. એમણે સમાજ, રાજ્ય, અર્થ અને ધર્મના ક્ષેત્રમાં ક્રાંતિ કરવા માટે શુદ્ધ અહિંસક સાધનને ઉપયોગ કર્યો. બીજાને ખતમ કરીને કે તલવારની જેરે બદલીને, શેષણ દ્વારા કચડીને કે લૂંટફાટ કરીને કહેવાતી ક્રાંતિ કરવાની વાત સામે એમણે પડકાર ફેંકયો. ભારતની હજાર વર્ષની પરંપરાને ચૂંથીને અંગ્રેજોએ એવું રાજ્યતંત્ર ગોઠવ્યું કે એમણે શિક્ષણ, રક્ષણ, ન્યાય, આરોગ્ય વગેરે બધાં ક્ષેત્રે કજે કરી લીધાં. તે વખતે ગાંધીજી આવ્યા, એમણે રાજકારણની આ પકડમાંથી બીજાં ક્ષેત્રોને મુક્ત કરવા માટે સત્યઅહિંસાને ક્રમ રાજકારણમાં દાખલ કર્યો. કારણ કે ભારતમાં ધર્મ, સમાજ, અર્થ, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં જે ક્રાંતિ થઈ હતી, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy