SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરાનમાં લગભગ ૩ હજાર વર્ષ પહેલાં થયા, તેઓ પિતાના ભાગની સંપત્તિ છોડીને માત્ર એક કપડું પહેરીને ઘેરથી નીકળી ગયા. લેકને પવિત્રમન, પવિત્રવાણી અને પવિત્રકર્મને ઉપદેશ આપ્યો. એમના અનુયાયીઓમાં એમના ઉપદેશથી યુદ્ધત્યાગ, ઉદ્યોગ, પરોપકાર, રાષ્ટ્રની નીતિને અનુકૂળ થવું વગેરે ગુણો આવ્યા. એક વખત જરથુસ્તને ધર્મપ્રચારના અપરાધમાં જેલમાં પૂર્યા અને પછી છેડી મૂક્યા. પણ અનુબંધ તદ્દન જોડાયેલ ન હતા, એટલે એમની સર્વાગી કાંતિ આગળ ન વધી શકી. તા. ૧૫-૮-૬૧ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. સાંસ્કૃતિક ક્રાંતિકારમાં ત્રણ વસ્તુઓ હોવી જોઈએ. ૧. વિશ્વનું ફલક સામે રાખીને તે સંસ્કૃતિને વિચાર કરે. ૨. સત્યની ઊંડી શોધ કરે. ૩. એ શોધ પછી જ્યારે સાંસ્કૃતિક ક્રાંતિના વિચારે અમલમાં મૂકાય ત્યારે આવતા ક, આફત, પ્રતિષ્ઠા-પ્રાણપરિગ્રહને ભોગે સહન કરે. ૨. સાંસ્કૃતિક ક્રાંતિકાર ઉચ્ચ જીવન જીવે છે, પોતાના જીવન કાળમાં તે સાંસ્કૃતિક ક્રાંતિનાં બીજ વાવી જાય છે. તેના જીવનકાળમાં તે ક્રાંતિ અવ્યક્ત રહે છે. ૩. સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, રશ્કિન, ટોલ્સ્ટોય, કેયૂશિયસ અને તાઓ વિદેશમાં થયા છે. ભારતમાં લગભગ પાંચ હજાર વર્ષથી આર્ય સંસ્કૃતિ ખીલી છે; અહીંના વૈદિકકાળના ઋષિઓ અને સંસ્કૃતિદષ્ટાઓને કડીબદ્ધ ઇતિહાસ નથી મળતું પણ તેઓએ વ્યાપક ધર્મ અને વિશ્વ દષ્ટિએ સંસ્કૃતિને વિચાર જરૂર કર્યો છે જે “ઘર વિઠ્ઠ મવચેતન' “મતા મૂરિ પુત્રો S૬ grષાદ' જેવાં સૂત્રોમાં ઠેર ઠેર મળે છે. આ વિશ્વના તે વખતના લગભગ બધા જ પ્રદેશમાં જઈને વસ્યા અને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy