SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયાસ-આયાસ કયાં અને કેવી રીતે? અનાયાસ–આયાસમાં નીચેના મુદ્દાઓ વિચારણીય છે– ૧. જ્યાં આયાસ કરવો હોય, ત્યાં અનાયાસન કરે. ૨. જ્યાં અનાયાસ જોઈતા હોય ત્યાં આયાસ ન કરે, ૩. જ્યાં પુરુષાર્થ કરવાનો હોય ત્યાં પ્રારબ્ધ કે નિયતિને આગળ ન લાવે, ૪. જ્યાં પ્રારબ્ધવાદને લગાડવો હોય ત્યાં પુરુષાર્થ ન કરે. ૫. આયાસને નામે અનધિકાર ચેષ્ટા ન કરે. ૬. અનાયાસને નામે અધિકાર-અચેષ્ટા ન કરે. ૭. કાળે આયાસ (વિલંબકારી નીતિ ન પકડે) કરે ૮. અકાળે અનાયાસ ન કરે. ૯. જ્યાં તાદામ્ય સાથે તાદ્રશ્ય ગોઠવાઈ ગયું હોય ત્યાં અનાયાસ કરે. ૧૦. જ્યાં તાપૂર્વક તાદામ્ય હોય ત્યાં આયાસ વધારે કરે. ૧૧. અનાયાસ આયાસમાં જ્યાં આગ્રહ પકડવાને હોય ત્યાં સત્યાગ્રહ પકડે, જ્યાં અનાગ્રહ પકડવાને હોય ત્યાં અનાગ્રહ પકડે. ૧૨. પુરુષાર્થ અને પુરુષાનર્થને વિવેક કરવો. ૨. અને શસ્ત્રાસ્ત્ર સજીને ડંખ રહિત થઈ યુદ્ધ કરવાને ટાણે, મોહવશ થઈ નિષ્ક્રિય થઈને બેસી જાય છે, એ આયાસ કરવા ટાણે અનાયાસ હતો. ૨. એક માણસ પાસે ઘણી સંપત્તિ છે, છતાં ન્યાયનીતિને અવગણીને વધુ ધન મેળવવા પુરુષાર્થ કરે છે, એ અનાયાસ જોઈતું હતું ત્યાં આયાસ થાય છે. ૩. દુઃખી ગરીબની સેવા કરવામાં પુરુષાર્થ કરવો હોય ત્યાં પ્રારબ્ધ કે નિયતિવાદ બફાય છે અને ૪. જ્યાં પિતાના માટે સુખસગવડો મેળવવામાં, વધુ ધન મેળવવામાં પ્રારબ્ધ કે નિયતિને આગળ લાવવી હોય ત્યાં પુરુષાર્થવાદ બફાય છે. આ બન્ને ખોટે પ્રારબ્ધવાદ કે નિયતિવાદ અને ખેટે પુરુષાર્થવાદ છે. ૫. જ્યાં પિતાના અધિકારથી પરની વાત હોય, બહેનનું કાર્ય હાય, ખેટે ઝઘડે ઊભે કરવે, નકામી ટકટક કર્યા કરવી; એ અનધિકાર ચેષ્ટા છે. અને ૬. જ્યાં પિતાની જવાબદારીની વાત છે, પિતાને કહેવાને હક છે, કર્તવ્ય છે, ત્યાં પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy