SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ મહાત્માગાંધીજીએ દેશસેવા માટે કસ્તૂરબાને માતા બનાવ્યાં. ખરેખર કસ્તૂરબા રાષ્ટ્રમાતા બન્યાં. નારી એ રાક્ષસી કે નરકની ખાણુ નથી, વાસના જ રાક્ષસી કે નરકની ખાણ છે. એ રીતે માતૃજાતિની પ્રતિષ્ઠા કરવા માટે માતાએમાં રહેલું માતૃત્વ પ્રગટાવવું પડશે. યુરેપમાં માતૃપૂજાને બદલે સૌ પૂજા તરફ વધારે લક્ષ્ય રહ્યું છે. તે જ્યાંસુધી સ્ત્રી ભાગ્ય જ છે, એવી ભ્રમણા જે સમાજમાં રહેશે ત્યાંસુધી નારીની સાચા અર્થાંમાં પ્રતિષ્ઠા નહી થાય. જ્યાં રાષ્ટ્રહિત માટે સ્ત્રી પોતાના શીલનું બલિદાન આપવામાં ગૌરવ માને છે, ત્યાં માતૃપ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? જ્યાં સુધી સ્ત્રી માટે પતિવ્રત્યધર્મ'ની જેમ પુરુષ માટે પણ બહુગામીપણું કે ભ્રમરવૃત્તિ બંધ કરીને એક પત્નીવ્રત અનિવાર્ય કરવામાં નહી આવે ત્યાં સુધી માતૃપ્રતિષ્ઠા વ્યવહારુ નહી બને. માતૃપ્રતિષ્ઠાના સાચા ઉપાયા આ છે. ૧. જાતીય વૃત્તિનું સંસ્કરણ કરવું. ૨. સુસ`ગઠિત નૈતિક માતૃસ`સ્થા ઊભી કરી, તે દ્વારા આવા જ્વલંત પ્રશ્નો ઉકેલવા. ૩. જાહેર વનમાં નારીપ્રતિષ્ઠા. ૪. સામાજિક અને અને રાજકીય જીવનમાં વૈકારીક સંબધો ઘટાડવા. ૫. એવા નિવિ કારી પુરુષાનાં સંગના દ્વારા માતૃઋતિ ઉપર થતા અન્યાયે અત્યાચારાના અહિંસક પ્રતીકાર. ૬. આર્થિક દૃષ્ટિએ બહેનને સ્વાવલખી બનાવવાં. ૭. સર્વાં’ગીણ વિકાસની તક આપવી. ૮. સારા સસ્કારી દ્વારા ધડતર કરવું તા. ૧૪-૮-૬૧ ભારતની પ્રજાના ખમીરમાં માતૃપૂજાનુ` સાંસ્કૃતિક તત્ત્વ પડયું છે. ભારતના સાંસ્કૃતિક ગ્રંથ સ્મૃતિમાં રાજાની પત્ની, ગુરૂ કે વડીલની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માતા અને પોતાની માતા, એ પાંચયને માતા બતાવી છે. ૧. લક્ષ્મણજીએ પાતાની ભાભી સીતાજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy