SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૩. સીતાંના ખેંચાઈને પુરુષાર્થ ન કરવા. એનાં ઉદાહરણો—૧. રામ જ્યારે વનવાસ માટે વિદાય થયા ત્યારે એકાદ દિવસનુ ભાજન, ભાતું કે કંદમૂળાદિ કાંઈ પણ સાથે નહાતું લીધું. યથા લાભ સ ંતુષ્ટ રહ્યા. ૨. ભ્રમર જેમ બધાં ફૂલા ઉપર થઈ થોડા થાડા રસ લઈને પોતાને તૃપ્ત કરી લે છે; ફૂલાને પણ ઇજા પહોંચાડતા નથી, તેવી જ રીતે રામે જે કાંઈ વનમાં સહજ મળ્યું તે લેતા ગયા. અપહરણ પછી રામને મન વિરહ દુ:ખ ગૌણ હતું, મુખ્ય દુ:ખ તા સાધુના વેષમાં રાવણ સીતાને ઉપાડી ગયા, એ હતું; કારણ કે સાધુવ પ્રત્યે લેાકશ્રદ્ધા તૂટી જશે, એ સંસ્કૃતિભંગનું દુઃખ હતું, તે લેાકશ્રદ્ધા ટકાવવા માટે અનાયાસે આવી પડેલ રાવણ સામે યુદ્ધ રામે કર્યું. ૪. સહજે શરણે આવલી શબરીને માતંગ ઋષિએ શિષ્યને વિરાધ હોવા છતાં આશ્રમમાં રાખી, એ અનાયાસ આયાસ હતા. ૫. સીતાવિર રામચંદ્ર જે સીતાની ગેાતાગાત કરે છે તે અનાયાસે આવી પડેલુ અર્ધાંગના પ્રત્યેનું કર્તવ્ય હતું. ૬. મર્યાદા પુરુષાત્તમ રામ ઋષિમુનિઓને નમસ્કાર કરે છે, ગાંધીજી સાધુસંતાને વંદન કરતા, તે સાધુતાનું સન્માન કરવાની સસ્કૃતિ સાચવવા માટે અનાયાસ આવેલું કર્તવ્ય હતું. ૭. વાલીના વધ પણ તેણે સસ્કૃતિ ભંગ કર્યા હતા તે માટે કર્યા હતા. ૮. ગાંધીજીને હું બાપુના ખેાળામાં જાઉં,' એવી કસ્તૂરબાની અતિમ ઈચ્છા પ્રમાણે અનાયાસ સયેાગ મળ્યા હતા. ૯. મહાદેવભાઈ પ્રત્યે બાપુ કડક પણુ થતા તા અંતરમાં પ્રેમની લાગણી પણ રાખતા. ૧૦. સુગ્રીવને રાજગાદીએ બેસાડયા પછી તે ભ. રામ સાથે કરેલી મૈત્રી અને વચનને ભૂલીને રાજવૈભવમાં પડી ગયા, રામ મથનમાં હતા, લક્ષ્મણે સીતાની શોધની યાદ અપાવી; સુગ્રીવને પણ સ્મરણ આપ્યું, અને તે તથા હનુમાન વગેરે બધા રામને અનાયાસે મળી ગયા. ૧૧. ચંદનબાળાના ઉદ્ધાર માટે ધનાવાડ શેડ, મૂળા શેઠાણી, ચંદનબાળા અને ભ. મહાવીર બધાના અનાયાસે સયેાગ મળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy