SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ૧. ભારતીય સંસ્કૃતિની રક્ષાની જવાબદારી કુટુંબમાં માતાએ ઉપર, સમાજમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો ઉપર અને વિશ્વમાં સાધુસંન્યાસીઓ ઉપર હતી; માતાઓ અને બ્રાહ્મણક્ષત્રિય કદાચ પિતાની જવાબદારી ચૂકી જાય તો છેવટે સાધુઓએ પ્રાણ, પરિગ્રહ કે પ્રતિછાને હેડમાં મૂકીને પણ સંસ્કૃતિરક્ષા કરવી જોઈએ. ૨. ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય તો આ હતાં– ૧. ગુણકર્મ પ્રમાણે વર્ણાશ્રમ વ્યવસ્થા ૨. ચારે આશ્રમમાં શીલરક્ષા ૩. ગોવંશ, ભૂમિ અને માતૃજાતિ પ્રત્યે આદર ૪. માતાપિતા, આચાર્ય અને અતિથિને સત્કાર ૫. અનાક્રમણશીલતા, ૬. પ્રામાણિક જીવન વ્યવહાર, ૭. પ્રાંતીયતા, જ્ઞાતીયતા અને અંધરાષ્ટ્રીયતાથી ઉપર ઊઠીને બધાંય પ્રાણુઓ પ્રત્યે-વિશેષે બધા માન પ્રત્યે આત્મૌપચ્યભાવ, ૮. શ્રમનિશા અને શ્રમજીવીઓની પ્રતિષ્ઠા ૯. લેકભાષા દ્વારા શિક્ષણસંસ્કાર ૧૦. રાજ્યસંસ્થા ઉપર લેકે અને લેક સેવકને અંકુશ તથા સાધુસંસ્થાને નૈતિક પ્રભાવ ૩. ભૂતકાળમાં સાધુસંસ્થા દ્વારા સંસકૃતિરક્ષા કરવા કરાવવાના પ્રસંગે ૧. બ્રાહ્મણે અને ક્ષત્રિયો જ્યારે સંસ્કૃતિતત્તવો ચૂક્યા ત્યારે હરિકેશી મુનિ, કેશીશ્રમણ જેવા શ્રમણોએ કષ્ટ સહીને પણ એ બન્નેને સંસ્કૃતિમાર્ગે દોર્યા. ૨. જ્યારે જ્યારે સતીસાધ્વીઓના શીલ ઉપર આક્રમણ કે શીલરક્ષાના સવાલ આવ્યા છે ત્યારે ત્યારે શીલગુણ સૂરી, સ્થૂલિભદ્ર, કાલિકાચાર્ય જેવા મુનિઓએ પ્રતિષ્ઠા, પ્રાણુ અને પરિગ્રહને હડમાં મૂકીને પણ આ સંસ્કૃતિતત્વની રક્ષા કરી છે. જૈનશાસ્ત્ર, જૈનકથાઓ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં સંસ્કૃતિરક્ષા અને માતાઓ દ્વારા શીલરક્ષાના ઘણા પ્રસંગે આવે છે. ૪. આજે હવે સંદર્ભ બદલાય છે, એટલે સાધુઓએ આંતર્રાષ્ટ્રીય દષ્ટિએ સંસ્કૃતિરક્ષાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy