SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ અનુબંધકારની યોગ્યતા ૧. અનુબંધકારની સૌથી પહેલી યોગ્યતા એ હશે કે માતૃ જાતિના સંગઠને, શહેરી મજૂર અને મધ્યમ વર્ગીય લેકોના સંગઠને; એ બે અને બાકીના ૪ પૂર્વોક્ત સંગઠને; આમ ૬ સંગહને દ્વારા તે દુનિયાના બધા પ્રવાહને સાંકળશે. એને માટે વિશ્વના બધા પ્રવાહની પૂરી સમજણ, તથા ૬ સંગઠનેને યથાયોગ્ય સ્થાને રાખવાને પુરુષાર્થ, કુનેહ વ. જોઈશ. ક્યાંક સિદ્ધાંત માટે પ્રાણુ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હોમવા પડશે. નવા બ્રાહ્મણે અને શ્રમણે બનેને યથાયોગ્ય અનુબંધ તથા રાષ્ટ્રીય મહાસભા સાથેને રચનાત્મક કાર્ય કરેને તૂટેલે અનુબંધ સાંધવો પડશે. દુનિયાના દરેક ક્ષેત્રના પ્રશ્નોને ઉકેલ ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથ-રામાયણ, ગીતા, મહાભારત વગેરે ઉપરથી લાવવા પડશે. જુદા-જુદા ધર્મોવાળાને તેમની ભાષા અને ધર્મોની દષ્ટિએ સમજાવવા પડશે. આ અનુબંધનું મુખ્ય કામ પહેલની દષ્ટિએ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ જ કરશે, પણ એમની સાથે સર્વાગી દૃષ્ટિવાળા જનસેવકે નહીં હોય તે સંપૂર્ણ રીતે કામ નહીં થાય. સાધુઓ અનુબંધકાર તરીકે સંગઠનની ભૂમિકા તૈયાર કરશે જ્યારે ૨. કાર્યકરે સંગઠનની રચના અને ઘડતરનું કામ કરશે. એટલા માટે જ જૈન સંઘમાં સાધુ અને શ્રાવકને અનુબંધ પહેલાંથી રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ ગાંધીસેવાસંધમાં રાજકારણી, અર્થકારણ અને સમાજકારણું (ર. કાર્યકર) એ ત્રણેય કેટિના સારા લેકેને અનુબંધ રાખ્યા હતા. લોકસેવકસંઘનું કેગ્રેસ સાથે સંધાન રાખવા માગતા હતા. આપણે પ્રાયોગિક સંધની સાથે ગ્રામ અને નગરોનાં જનસંગઠને અને કોંગ્રેસને અનુબંધ ગોઠવ્યો છે, જેમાં ૬ સંગઠને આવી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy