SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૧૫ જનસેવકે અને ક્રાંતિપ્રિય સાધવર્ગને અનુબંધ ૧. વ્યક્તિઓ ભેગી થઈ જાય એથી કરીને હૃદયની એકતા થતી નથી, હૃદયની એક્તા માટે કઈ એકલી સંસ્થા પણ સફળ નહીં થઈ શકે. ક્રાંતિપ્રિય સાધવગ, લોકસેવક સંગઠન, જનસંગઠન અને રાજ્યસંગઠન (કોંગ્રેસ) એ ચારે સંસ્થાઓનું સારી પેઠે જોડાણ થઈ જાય તે દુનિયા હૃદયથી એક થઈ શકે. ૨. આ ચાર સુસંસ્થાઓમાં જનસંગઠન અને રાજ્યસંગઠન એ બે પ્રેરણું ઝીલનારી છે, જ્યારે જનસેવક સંગઠન અને ક્રાંતિપ્રિય સાધુ વર્ગ એ બે પ્રેરણા આપનારા છે. આ બેની વધુમાં વધુ જવાબદારી છે, એ બન્ને ભૂલ કરે તે ક્ષમ્ય ગણાતી નથી. પ્રેરક પ્રેરણા પાત્રને હિતબુદ્ધિ પ્રેરણા આપવી જ જોઈએ. શરૂઆતમાં કદાચ પ્રેરણા ન ગમે, પણ ધીમે ધીમે એ ગમવાની જ. ૩. જનસેવકેના વિશિષ્ટ ૮ ગુણેની જેમ સાધુઓમાં આ ૮ ગુણ ઉપરાંત મુખ્યલક્ષણ સમતા હેવી જોઈએ. સમભાવને અર્થ છે વિશ્વપ્રવાહમાં સર્વાગી અને ક્રાંતિદષ્ટિ તથા અખંડપુરુષાર્થ (શ્રમ)ની જવાબદારીનું સક્રિયભાન એ બે ગુણ જાળવી રાખવા; એ બે ગુણે જાળવવા જતાં આશા-નિરાશાના અનેક પ્રસંગ આવશે, તે વખતે મન, વચન, કર્મથી સક્ટિસર્વોચ્ચ સમતા અને સ્થિરતા ન ગુમાવે. આ ગુણ ન હોય તે રચનાત્મક કાર્યકર (જસેવક) એના પ્રત્યે આકર્ષાશે જ શી રીતે ? ૪. ભૂતકાળમાં ઋષિમુનિઓ અને બ્રાહ્મણને અનુબંધ હતો. આમ તે ચારે વર્ણને અનુબંધ વ્યક્તિગત રીતે થાય છે. રામયુગમાં વશિષ્ઠ, વાલ્મીકિ અને વિશ્વામિત્ર એ ત્રણ ઋષિઓ પ્રખ્યાત હતા, એમણે બ્રાહ્મણ ક્ષત્રિય સાથે અનુબંધ જોડે છે. કૃષ્ણયુગમાં બ્રાહ્મણ-ક્ષત્રિ નું સ્વાર્થિક જોડાણ થાય છે; તેમજ વૈશ્ય અને તપસ્વીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy