SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશે છે. આ પ્રમાણે નામ અથવા શબ્દ વડે સકલ બ્રહ્મ પ્રાણ થાય છે. સકલ બ્રહ્મનું વિમર્શરૂપ એટલે સ્વાનુભવ કરવાનું સામર્થ્ય તેને દેવી અથવા શક્તિ કહે છે. તે ચૈતન્ય શકિતનાં પૂલ, સૂક્ષ્મ અને પર એવાં ત્રણ રૂપ હોય છે. કરચરણાદિ અવયવવાળું રૂપ તે પૂલ; મંત્રમય શરીર તે સૂક્ષ્મ; અને ઉપાસકની બુદ્ધિની વાસનાથી ઘડાયેલું રૂપ તે પર. સૂમરૂપ પણ સૂમ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મતમ એમ ત્રણ પ્રકારનું હોય છે. પહેલું તે પંચદશાક્ષરી મંત્રથી ઘડાયેલું; બીજું કામકલાક્ષરવાળું; અને ત્રીજું પિંડમાં રહેલી કુંડલિની શક્તિવાળું. આ સર્વ પ્રકારનાં રૂપે નામાદિ વડે ઉકેલી તેનું ભક્તિપુર:સર ચિંતન કરવાથી શક્તિસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. પરમ શિવની શક્તિથી પ્રકટ થનારી સૃષ્ટિના ચાર પ્રકાર શાસ્ત્રો વર્ણવે છેઃ (૧) ભાવસૃષ્ટિ, (૨) ભૂતસૃષ્ટિ, (૩) શબ્દસૃષ્ટિ, અને (૪) અર્થસૃષ્ટિ. ભાસ્કરરાય પ્રથમ બેનાં નામ ચક્રમથી સૃષ્ટિ, અને દેહમયી સૃષ્ટિ કહે છે. આ ચાર પ્રકારની સૃષ્ટિમાં શક્તિતત્વની ચિન્મયી અને આનંદમયી કળા ઓળખવાની છે.” ભાસ્કરરાયની આ વિવેચક પદ્ધતિને આશ્રય લઈ મેં પુનઃ શંકરાચાર્યના પ્રસ્થાનત્રયીના ગ્રંથે વાંચી જોયા, અને પ્રકરણગ્રંથિ પણ પુનઃ અવલોક્યા. તે ઉપરથી મને એવું લાગે છે કે કેવળ વેદાન્તીઓ માયાવાદ દ્વારા શાંકર સિદ્ધાંતને સમજે છે, તે ઉપરાંત શાસ્ત્રોની દૃષ્ટિ વડે શાંકર સિદ્ધાંત શકિતવાદદ્વારા પણ સમજવાની જરૂર છે. મારા તા. ૪–૧૦–૧૭ ના એક વ્યાખ્યાનમાં શાંકર અદ્વૈત જ શબ્દબ્રહ્મનું કામ અથવા ઈચ્છા શકિતનું સબિંદુ એટલે કેન્દ્રગામી ગુંછળાવાળું (કુંડલિની) રૂ૫ છે, તેને વાચક એકાક્ષર ) ને કામકળાએવું રહસ્ય નામ આપવામાં આવે છે. “કામકલા” એટલે Manifestation (કલા) of Creative Will. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy