SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું સામર્થ તેમાં રહેલું હોવાથી તે શક્તિને મૂલ પ્રકૃતિ કહે છે. પરંતુ આ અધ્યાત્મવર્ગની, મૂલપ્રકૃતિશક્તિ કરતાં ચઢીઆતી પુરુષોત્તમની અથવા પરમેશ્વર અથવા શિવચેતનની, સ્વાભાવિકી શક્તિ છે, તેને વેદશાસ્ત્રમાં ચિચ્છક્તિ કહે છે, અને તે નિત્યસિદ્ધ હોય છે, જ્યારે પુરુષાશ્રિત અધ્યાત્મશક્તિ અપરા પ્રકૃતિ કરતાં ચઢીઆતી છે, અને નિરાવરણ દશામાં વિશુદ્ધ દર્શન કરાવી શકે છે, પરંતુ પારકા ક્લેશને દબાવી તિરોધાન કરવાનું તથા અન્ય જીવોને અનુગ્રહથી પાશ વિનાના કરવાનું સામર્થ્ય પુરુષાશ્રિત એટલે જીવાશ્રિત અધ્યાત્મશક્તિમાં હોતું નથી. તે જીવાશ્રિત અધ્યાત્મશક્તિ બહુ થાય તે ઉત્પત્તિ, સ્થિતિ અને નાસા કરવાનું સામર્થ્ય દર્શાવી શકે છે, અને તેને પરમ વૈભવ બ્રહ્મા, વિષ્ણુ અને સ્તની ત્રણ ગુણમૂતિઓમાં હોઈ શકે છે. ગુણાતીત ભૂમિકાનું, પુરુષોત્તમનું અથવા પરમેશ્વરપદનું તિરોધાન અને અનુગ્રહ કરવાનું, બલ નથી મુક્તઓમાં, કે નથી બ્રહ્માદિ ગુણમૂર્તિઓમાં. આ બે શક્તિઓનું કેન્દ્ર જે પદમાં વાસ કરે છે તે પદ શાક્તસંપ્રદાયના અધ્યાત્મ: ચિંતકોના અભિપ્રાય પ્રમાણે શુદ્ધ અપ્લાનાં પંચતત્તમાં સમાયેલું છે. સ્વયંપ્રકાશ શિવતત્ત્વની આ પિતાના સ્વરૂપને પૂર્ણભાવે ઓળખવાની અથવા પરામર્શ કરવાની સ્વયંભૂ શક્તિને રિિ કહે છે, અને તે જ્યારે જ્યારે આત્મપરામ થાય ત્યારે ત્યારે પૂર્ણ આનંદને અભિવ્યક્ત કરે છે, અને તેથી તેને સામા પણ. કહે છે. પિતાથી ભિન્ન પદાર્થના સ્પર્શ વડે થતો આનંદ તે વિષયાનંદ છે, અને પિતાના સ્વરૂપના સ્પર્શ વડે સ્કુટ થતે આનંદ તે બ્રહ્માનંદ છે. આ મૌલિક બ્રહ્માનંદની છાંટ અથવા કણ વડે જીવોને આનંદમય કેશ ઝળકે છે. જેમ ધૂળધાયાને મણ કચરામાંથી . * શુદ્ધ વિદ્ય, ઈશ્વર, સદાશિવ, શક્તિ અને શિવ એ પાંચત. જુઓ મ. ન. અધ્યાય ૭. ૪–૫ લો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy