SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એ તાંત્રિક સિદ્ધાન્ત છે. ઉપરના બૌદ્વતંત્રપ્રક્રિયાના સારસંગ્રહથી સમજાશે કે મંત્રશક્તિને સ્વીકાર વજીયાનનાં ત્રણ તંત્રમાં કરવામાં આવ્યું છે. શાક્તસાધનાનું નિરૂપણ હિન્દુ તંત્રશાસ્ત્રને અનુસરતું છે. માત્ર દેવતાને નામભેદ છે, પરંતુ વસ્તુના નામભેદથી વસ્તુ સ્વરૂપ બદલાતું નથી, એ પ્રત્યેક વિવેકીને સરલતાથી સમજાય એમ છે. શ્રીચક્રસંભાર નામના બૌદ્ધતંત્રના ગુરુઓની પરંપરા જોતાં જણાય છે કે ઈ. સ. ૧૨૩૩ પહેલાં ૧૯ ગુરુઓ થઈ ગયા છે. એ ઉપરથી ત્રીસ ત્રીસ વર્ષને ગાળો ગણતાં નિદાન ઇ. સ. ના ૧૨૩૩ પહેલાં ૫૭૦ વર્ષ ઉપર મંત્રયાનને પ્રવેશ હિન્દુસ્થાનમાંથી તીબેટમાં થયે જણાય છે, એટલે ઇ. સ. ૬૬ ૩ ના અરસામાં શાક્તસંપ્રદાય ત્યાં સ્થપાયેલો હોય એવું ચોક્કસ અનુમાન નીકળે છે. બૌદ્ધોના બીજા તંત્રગ્રંથો હજુ તપાસણમાં આવ્યા નથી, પણ માનવાને કારણ રહે છે કે લગભગ પ્રજ્ઞાપારમિતા વિગેરે સૂત્રો રચાયાં ત્યારથી મંત્રયાનને પ્રવેશ તીબેટમાં થયેલો હોવો જોઈએ. વજવારાહી દેવી બૌદ્ધની લગભગ બ્રાહ્મણની પરિણી અથવા હિની સાથે મળતી આવે છે. ઉપાસનાક્રમ પણ લગભગ સરખે છે. બૌદ્ધોની વિશેષ દેવીનું બીજું રૂપ તારાનું છે. તારાની ઉપાસના હિન્દુઓમાં પણ પ્રચલિત છે. બ્રાહ્મણ અને બૌદ્ધો ૐકાર અથવા પ્રણવને તીર કહે છે. તે દેવની પત્નીનું નામ તો આપવામાં આવ્યું છે. બૌદ્ધોની તણિ દેવી સંબંધમાં વિપુલ સંસ્કૃત સાહિત્ય છે. મારા જાણવામાં લગભગ તેત્રીસ ગ્રંથે તાલ ઉપરના છે. આ * આ પ્રકરણ ઘડવામાં આવરમાર નામના બૌતંત્રને આધાર લીધા છે.. + ૧ પ્રતાપગ, ૨ તાપીes, ૩ તાપતા, ४ ताराकवच, ५ तारातत्वम्, ६ तारातंत्रम्, ७ तारापंजिका, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy